14 વર્ષ પછી દીકરો પરત ફર્યો...બની ગયો લક્ઝરી કાર અને ટ્રકોનો માલિક

ઉત્તર પ્રદેશના હરદોઈના ફિરોઝાપુર ગામમાં 14 વર્ષ પછી ખુશી આવી છે. ખેડૂત સૂરજનો દીકરો 14 વર્ષ પછી પોતાના ગામ પરત ફર્યો અને તે પણ હોળી ઉજવવા માટે. કહેવામાં આવી રહ્યું છે કે સૂરજનો દીકરો રિંકૂ 14 વર્ષ પહેલા કોઈને પણ કહ્યા વિના ઘર છોડી જતો રહ્યો હતો. પરિવારે રિંકૂને શોધ્યો પણ તે મળ્યો નહીં. થાકીને પરિવારે તેને નસીબ સમજી જિંદગીમાં આગળ વધવાનું નક્કી કર્યું.

શનિવારે રિંકૂ અચાનક જ બદલેલા નામ અને પરિવેશમાં ગામ પહોંચ્યો. તેની માતાએ દીકરાને ઓળખી લીધો. તે દીકરાને ગળે વળગી રડતી રહી. રિંકૂ 14 વર્ષથી પંજાબમાં છે અને તેણે ત્યાં ટ્રક ખરીદી લીધી છે.

રિંકૂએ કહ્યું કે તેની એક ટ્રક ધનબાદમાં અકસ્માતમાં સપડાઇ. તે પોતાની લગ્ઝરી કારથી ધનબાદ જઇ રહ્યો હતો. રસ્તામાં હરદોઇ આવ્યું તો તેને બધું યાદ આવ્યું. તેને માત્ર ગામમાં સૂરત યાદવનું નામ જ યાદ હતું. ગામ પહોંચી તે સૂરત પાસે ગયો અને સૂરત તેને લઇ ઘરે ગયો.

રિંકૂથી બની ગયો ગુરૂપ્રીત, સરદારો જેવી રહેણીકરણી

રિંકૂનું નામ હવે ગુરુપ્રીત છે. તેની રહેણી કરણી સરદારો જેવી છે. તે પાઘડી પણ પહેરે છે. તેણે જણાવ્યું કે ગોરખપુરના એક પરિવાર જે લુધિયાનામાં રહે છે તેની દીકરી જોડે રિંકૂના લગ્ન પણ થઇ ગયા છે.

ફિલ્મી સ્ટોરી

રિંકૂ અનુસાર, અભ્યાસને લઇ સાંભળવાને કારણે તે નવા કપડાની નીચે જૂના કપડા પહેરી ઘરેથી નિકળી પડ્યો. તે ટ્રેનમાં બેઠો અને લુધિયાના પહોંચી ગયો. જ્યાં તે એક સરદારને મળ્યો. તેમણે રિંકૂને પોતાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ આપ્યું. રિંકૂએ ટ્રક ચલાવવાની શીખી. ધીમે ધીમે તેણે ટ્રક ખરીદી. અને હવે તેની પાસે લગ્ઝરી કારો પણ છે.

હવે પહેલાની છોડી ન જતો

12 વર્ષની ઉંમરે ભાગેલો રિંકૂ 26 વર્ષે ઘરે પહોંચ્યો. રિંકૂના પરિજનોનું કહેવું છે કે જે કામ કરવું હોય એ કર પણ પહેલા જે રીતે છોડીને જતો રહ્યો એ રીતે ન જતો.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.