16મા વર્ષે ડૉક્ટર, 22મા વર્ષે IAS, નોકરી છોડી કર્યો ધંધો આજે 15000 કરોડની કંપની

ડૉ. રોમન સેની વિશે આજે કોણ નથી જાણતું? રાજસ્થાનના કોટપુતલીનો એક યુવા અને મહત્ત્વાકાંક્ષી છોકરો, જેણે પહેલા પ્રયાસમાં, તે પણ માત્ર 22 વર્ષની ઉંમરમાં જ UPSCની સિવિલ સર્વિસ પરીક્ષામાં 18મો રેન્ક હાંસલ કર્યો હતો અને IAS ઓફિસર બની ગયો હતો. રોમન વ્યવસાયે ડૉક્ટર, સિવિલ સેવક, બિઝનેસમેન અને એક એન્જિનિયર પિતાનો સૌથી નાનો દીકરો છે. તેની મમ્મી ગૃહિણી છે. રોમન જ્યારે 16 વર્ષનો હતો, ત્યારે તેની 2008માં AIIMS માં MBBS માટે પસંદગી થઈ ગઈ હતી. તે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેતો હતો. ત્યાં સુધી કે પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન પણ તે પોતાનું લેપટોપ લઇને આવતો હતો.

જોકે, હવે તમને એવુ લાગી રહ્યું હશે કે તેમણે UPSC તરફ પ્રયાણ કેમ કર્યું. સિવિલ સેવા માટે તેમની તૈયારીની પાછળ ભારતીય ગામડાંઓની સ્થિતિ હતી. તેમને અનુભવાયુ કે રાષ્ટ્રીય રાજધાની પાસેના ગામોમાં પણ લોકોને સરકારી સંસ્થાઓ અને તેમના અધિકારો વિશે ખૂબ જ ઓછી જાણકારી છે. તેના દ્વારા તેમને સમાજના ગરીબ અને વંચિત વર્ગ માટે કામ કરવાની પ્રેરણા મળી અને તેને જોતા તેમણે સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ણય કર્યો.

તેમણે પોતાની તૈયારી ત્યારે શરૂ કરી જ્યારે તેઓ ગ્રેજ્યુએશનના 5માં સેમેસ્ટરમાં હતા. તેઓ પરીક્ષાની તૈયારી માટે નિયમિતરીતે 6-7 કલાક અભ્યાસ કરતા હતા. તેમણે UPSC પ્રીલિમ્સ પરીક્ષા 2013 માટે પોતાના પ્રયાસમાં 400માંથી 309 અંક પ્રાપ્ત કર્યા હતા. રોમન સેનીએ સ્કૂલનું શિક્ષણ જયપુરમાંથી લીધુ જ્યાં તેમણે 10માં ધોરણમાં 85% અને 12માં ધોરણમાં 91.4% માર્ક્સ મેળવ્યા. ત્યારબાદ તેમણે AIIMSમાં એડમિશન લીધુ જ્યાંથી તેમણે 62% સાથે MBBS માં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો. જણાવી દઇએ કે, UPSC પરીક્ષામાં સફળતા સુનિશ્ચિત કરવા માટે તેમણે મેડિકલ સાયન્સને પોતાનો ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કર્યો અને ક્લાસ નોટ્સ અને ઇન્ટરનેટ પર વિશ્વાસ કર્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું કે, સેલ્ફ ઇવેલ્યૂએશનના માધ્યમથી પોતાની તૈયારીને એક્ઝિક્યૂટ કરવા અને માપવા માટે હંમેશાં એક ફિઝીકલ પ્લાન બનાવો. પરીક્ષામાં સફળતા માટે કોઇ કોચિંગની જરૂર નથી પરંતુ, ઉમેદવારોની વિચારસરણી તર્કસંગત, તાર્કિક અને નૈતિકરૂપથી યોગ્ય હોવી જોઈએ. રોમનને ઓનલાઇન શિક્ષણમાં ખૂબ વિશ્વાસ હતો, તેમણે કહ્યું કે, કોઇપણ પરીક્ષાની તૈયારી માટે ઇન્ટરનેટ સૌથી સારો સોર્સ છે. આથી સિવિલ સેવામાં સફળતા માટે તેમણે સિવિલ સેવાના ઉમેદવારોની સહાયતા માટે એક ઓનલાઇન વેબસાઇટ અને યૂટ્યૂબ ચેનલ અનએકેડમીની શરૂઆત કરી. જોકે, આ પહેલા તેમણે IAS ના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.

આજે આપણે સૌ જાણીએ છીએ કે, સામાન્ય વ્યક્તિના બાળકો માટે કોચિંગ ક્લાસ લેવા ખૂબ જ મોંઘા છે અને દરેક ઉમેદવાર તેના માટે નિવેશ નથી કરી શકતી. એવામાં અનએકેડમી આજે લાખો બાળકો માટે વરદાન સાબિત થયુ છે. જણાવી દઇએ કે, આજના સમયમાં રોમન સેનીની અનએકેડમી આશરે 15000 કરોડની કંપની બની ગઈ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.