ભારતના આ ગામમાં છે કાળી કૂતરીનું મંદિર, લોકો કુતિયા મહારાનીમાં ની જય બોલાવે છે

ભારતમાં લોકો દ્વારા અલગ-અલગ પ્રાણીઓની પણ પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાના જણાવવામાં આવે છે એટલે લોકો ગાયની પૂજા કરે છે, આ ઉપરાંત હાથીને ભગવાન ગણેશનું સ્વરૂપ સમજી લોકો હાથીની પૂજા કરે છે અને વાનરને હનુમાનજીનું સ્વરૂપ સમજી લોકો તેની પણ પૂજા કરે છે. ત્યારે આજે એક એવા ગામની વાત કરવી છે કે, એ ગામમાં લોકો કૂતરીની પૂજા કરે છે. ગામમાં લોકોએ કૂતરી દેવીનું મંદિર પણ બનાવ્યું છે અને ગામના લોકોએ મંદીએને કૂતરી દેવીના મંદિરનું બિરુદ આપ્યું છે.

કૂતરીનું મંદિર ઉત્તર પ્રદેશના બુદેલખંડ પ્રદેશના ઝાંસી જિલ્લામાં આવેલા રેવન અને કાકવારા ગામની વચ્ચેના રસ્તા પર આવેલું છે. આ મંદિરમાં એક કાળી કૂતરીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને મંદિરની બહાર એક લોખંડની ગ્રીલ લગાવવામાં આવી છે. જેથી કોઈપણ લોકો મંદિરમાં રહેલી કૂતરીની મૂર્તિને નુકસાન ન પહોંચાડી શકે. ગામના લોકોએ મંદિર પર જય કુતિયા મહારાણી મા લખ્યું છે અને લોકો કૂતરીના મંદિરની આગળથી પસાર થાય છે, ત્યારે તેઓ મંદિર સામે નમન પણ કરે છે.

આ મંદિર બનાવવા પાછળ એક કહાની પણ છુપાયેલી છે. મંદિરમાં જે કાળી કૂતરીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તે કૂતરી રેવન અને કાકવારા ગામમાં જ્યારે તહેવારો ઉજવતા હતા ત્યારે બંને ગામોમાં જમવા જતી હતી. કોઈપણ કાર્યક્રમ ગામમાં હોય એટલે કૂતરી જમવા પહોંચી જતી હતી. એક દિવસ રેવન ગામમાંથી રમતુલાનો અવાજ સંભળાયો અને કૂતરીને ભૂખ લાગી હોવાથી, તે જમવા માટે દોડીને રેવન ગામમાં પહોંચી હતી પરંતુ તે પહોંચી ત્યારે ગામના તમામ લોકોએ જમી લીધું હતું અને ત્યારબાદ કાકવારા ગામમાંથી રમતુલાનો અવાજ સંભળાતા ભુખી કૂતરી દોડીને કાકવારા ગામે ગઈ હતી પરંતુ ત્યાંથી પણ તેને ખોરાક ન મળી શક્યો અને ભૂખ્યા પેટે આમથી તેમ દોડાદોડી કરતા કૂતરીનું મોત નીપજ્યું હતું.

કૂતરીના મોતના સમાચાર લોકોને મળતા બંને ગામના લોકોને એકઠા ગયા અને ગામ લોકોએ દુઃખી થઈને કૂતરીનું જે જગ્યા પર મોત નીપજયું હતું. તે જગ્યા પર કૂતરીની દફનવિધિ કરી હતી. એવું પણ કહેવામાં આવે છે કે, જે જગ્યા પર કૂતરીની દફનવિધિ કરવામાં આવી હતી તે, જગ્યા થોડા સમયમાં પથ્થર બની ગઈ હતી એટલે ગામના લોકોએ આ ઘટનાને ચમત્કાર સમજીને. તે જગ્યા પર કૂતરીનું એક મંદિર બનાવી દીધું અને તે મંદિરમાં કાળી કૂતરીની પ્રતિમાની સ્થાપના કરી. હજુ પણ ગામની મહિલાઓ પ્રતિદિન કૂતરીને પાણી ચઢાવવા અને પ્રાર્થના કરવા માટે આવે છે. આ ઉપરાંત જે કોઈ વ્યક્તિ આ મંદિરની બાજુમાંથી પસાર થાય ત્યાંરે કૂતરીને નમન કરે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.