વ્યક્તિએ કર્યો ભવિષ્ય યાત્રાનો દાવો, બોલ્યો-2023માં થશે એલિયન સાથે યુદ્ધ

એક વ્યક્તિએ દાવો કર્યો કે, તે વર્ષ 2869થી ફરીને આવ્યો છે. તેણે ટાઇમ ટ્રાવેલ કર્યું છે. તેની સાખે જ તેણે ભવિષ્ય પણ જોયું છે. તેનું કહેવું છે કે, વર્ષ 2023માં એલિયન અને વ્યક્તિઓ વચ્ચે યુદ્ધ થશે. સમુદ્રમાં ઐતિહાસિક શોધ થશે. સાથે જ ભયાનક તબાહીવાળા ભૂકંપ આવશે. એલિયન અને માણસોનું યુદ્ધ પૃથ્વીથી લઇને અંતરીક્ષ સુધી થશે. આ વ્યક્તિએ ટિકટોકનો ઉપયોગ કરીને લોકોને આ ચેતવણી આપી છે. તેણે કહ્યું કે, વર્ષ 2023ના અંત સુધીમાં પૃથ્વીના લોકોએ ઘણા પ્રકારની પ્રાકૃતિક આપત્તિનો સામનો કરવો પડશે.

બીજી દુનિયાના એલિયનો સાથે માણસોનું યુદ્ધ થશે. આ યુદ્ધ ઘણી દિશાઓમાં થશે એટલે કે ઇન્ટરડાયમેન્શન થશે. આ વ્યક્તિએ પોતાના ટિકટોક પર પ્રોફાઇલનું નામ બિયોન્ડટાઇમ ટ્રાવેલર રાખ્યું છે. તે એવો દાવો કરે છે કે, તે વર્ષ 2869થી છે. પ્રોફાઇલ પર લખ્યું છે બધાને ચેતવણી આપું છું કે, હું એક અસલી ટાઇમ ટ્રાવેલર છું. અહીં આ વર્ષે થનારી મોટી ઘટનાઓની સંક્ષિપ્ત જાણકારી આપી રહ્યો છું. ટાઇમ ટ્રાવેલરે જણાવ્યું કે, અમેરિકા પર ખૂબ મોટી આપત્તિ આવશે. તેણે તારીખોની લિસ્ટ પણ જાહેર કરી છે. જાણો ટાઇમ ટ્રાવેલર કઇ તારીખે શું થવાનો દાવો કરી રહ્યો છે.

18 માર્ચ 2023ના રોજ અલાસ્કાના વિસિલરમાં 8.1ની તીવ્રતાનો ભૂકંપ આવશે. ભયાનક તબાહી થશે.

26 જૂન 2023ના રોજ પ્રશાંત મહાસાગરમાં બ્લૂ વ્હેલથી મોટો જીવ મળશે. તે 350 ફૂટ લાંબો હશે.

01 ઓક્ટોબર 2023ના રોજ Goloth નામની પ્રજાતિ દેખાશે, જે માણસોથી ખૂબ જ વધારે બુદ્ધિમાન હશે.

ત્યારબાદ જ એલિયન અને માણસો વચ્ચે અંતરીક્ષની લડાઇ શરૂ થશે. ટાઇમ ટ્રાવેલરે કહ્યું કે, એલિયન આવી રહ્યા છે આપણી તરફ. આ ટિકટોક ક્લિપ પર કમેન્ટ કરનારા અલગ-અલગ વિચાર રાખી રહ્યા છે. એક યુઝરે મજાક કરતા કહ્યું કે, ‘વર્ષ 2023 ખૂબ સારું રહેવાનું છે.’ તો એકે કહ્યું કે,’ આ વસ્તુ હું વર્ષ 2021થી જોઇ રહ્યો છું.’

આ રહસ્યમય ટિકટોકર પહેલો વ્યક્તિ નથી, જે આ પ્રકારનો દાવો કરી રહી છે. અન્ય લોકો પણ આ પ્રકારના દાવા પહેલા કરી ચૂક્યા છે. એ સિવાય એક અન્ય ટિકટોકર, જેનું પ્રોફાઇલ Timevoyaging છે તેણે કહ્યું હતું કે વર્ષ 2023માં જ માણસોનો સામનો પોતાનાથી વધારે ઇન્ટેલિજેન્ટ જીવો સાથે થશે. આ સામનો ધરતીના ક્રસ્ટમાં બનેલી ગુફાઓમાં છૂપાયેલા જીવોની શોધ બાદ થશે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.