ધરતીનો કયો જીવ ચંદ્ર પર આરામથી રહી શકે છે? તેને નથી પડતી ઓક્સિજનની જરૂરિયાત

કોઈ પણ જીવને જીવિત રહેવા માટે પહેલી શરત છે કે તે કોઈ પણ રૂકાવટ અને પરેશાની વિના શ્વાસ લઈ શકે. શ્વાસ લેવા માટે વાતાવરણ અને તેમાં ઑક્સિજન હોવો જરૂરી છે. તમે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું હશે કે પ્રદૂષણના કારણે જો કોઈ જગ્યાએ વાતાવરણમાં ઓક્સિજનનો અભાવ થઈ જાય છે તો શ્વાસ લેવું મુશ્કેલ થઈ જાય છે. આજકાલ ચંદ્ર અને ચંદ્રમા પર જીવનની ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ ચન્દ્રનું કોઈ વાતાવરણ નથી. એવામાં ઑક્સિજન વિના ત્યાં શ્વાસ લેવું અસંભવ છે, પરંતુ શું તમે જાણો છો કે ધરતીનો એક એવો જીવ છે જે ચંદ્ર પર કોઈ પણ પરેશાની વિના સરળતાથી જીવિત રહી શકે છે.

નેશનલ અકાદમી ઓફ સાયન્સિસમાં પ્રકાશિત શોધ રિપોર્ટ મુજબ, પહેલા એવા પ્રાણીની ઓળખ કરવામાં આવી છે જેને શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરાય જરૂરિયાત હોતી નથી. સંશોધનકર્તાઓ મુજબ માત્ર 8 મિમીનો આ સફેદ પરોપજીવી હેનેગુયા સાલમિનિકોલા એકમાત્ર એવું પ્રાણી છે જે શ્વાસ લેતી વખત ઓક્સિજનનો ઉપયોગ કરતો નથી. આ સફેદ પરોપજીવી જ ચિનૂક સેલ્મના માંસને સંક્રમિત કરે છે. સંશોધનકર્તા અત્યાર સુધી એ જાણકારી મેળવી શક્યા નથી કે સફેદ પરોપજીવી હેનેગુયા સાલમિનિકોલા જીવન માટે જરૂરી ઉર્જા ક્યાંથી હાંસલ કરે છે.

વિજ્ઞાન કહે છે કે બહુકોશિય જીવ ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા માઇટોકોન્ડ્રિયામાં પૂરી થાય છે. ન્યૂ સાયન્ટિસ્ટના રિપોર્ટ મુજબ, આ પ્રક્રિયા માટે હેનેગુયા માઇટોકોન્ડ્રિયા પાસે પોતાના પોતાના જીન છે. જ્યારે વૈજ્ઞાનિકોએ પરોપજીવીમાં એ જીનની શોધ કરી તો તે સંપૂર્ણ પણે ગેરહાજર હતા. વૈજ્ઞાનિકો અત્યાર સુધી એ જાણકારી મેળવી શક્યા નથી કે હેનેગુયા સાલમિનિકોલાએ શ્વાસ લેવા માટે જરૂરી જીનને કેમ ગુમાવી દીધા? જો કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેને પોતાના મેજબાનથી જીવન માટે જરૂરી ઉર્જા મળે છે.

હેનેગુયા સાલમિનિકોલા સેલમન માછલીની અંદર જોવા મળતો પરોપજીવી છે. જે ઑક્સિજન વિના જીવિત રહે છે. હેનેગુયા સાલમિનિકોલાને જોઈને વૈજ્ઞાનિક સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું આગળ જઈને માણસ પણ એવું કરી શકશે? ઉલ્લેખનીય છે કે હેનેગુયા સાલમિનિકોલાની શોધ બાદ સદીઓથી ચાલતી આવતી વૈજ્ઞાનિકોની ધારણાઓ હાલી ગઈ છે. હવે વૈજ્ઞાનિકોને લાગે છે કે આ બહુકોશિય જીવને જેમ માણસ પણ ઑક્સિજન વિના જીવિત રહી શકે છે. આ સમુદ્રી જીવ જેલીફિશની જેમ દેખાય છે. હેનેગુયા સાલમિનિકોનાની શોધ બાદ વૈજ્ઞાનિક આ દિશામાં શોધની તૈયારી કરી રહ્યા છે કે કદાચ ઑક્સિજન વિહીન બીજા ગ્રહો પર પણ જીવન ઉપસ્થિત હોય, જે અત્યાર સુધી આપણને નજરે પડ્યું ન હોય.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.