પતિને થયુ કેન્સર તો પત્નીએ આપી દીધા છૂટાછેડા, કરી લીધા બીજા લગ્ન

એક મહિલાએ પોતાના પતિને એ સમયે છૂટાછેડા આપી દીધા, જ્યારે તે કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો. તે ઘણા વર્ષો સુધી આ બીમારી સામે જંગ લડ્યા બાદ દુનિયા છોડીને ચાલ્યો ગયો. હવે આ મહિલાએ પોતાના નિર્ણય પર ઘણા વર્ષો બાદ મૌન તોડ્યું છે. 40 વર્ષીય યાના ફ્રાયે જણાવ્યું કે, તેના લગ્ન 22 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. ત્યારે તેનો પતિ 37 વર્ષનો હતો. એક નવી દુલ્હન બન્યા બાદ તે પતિ સાથે પરિવાર શરૂ કરવાના સપના જોઈ રહી હતી. પરંતુ, આ સપના ત્યારે તૂટી ગયા, જ્યારે પતિને કેન્સર હોવાની જાણકારી મળી.

યાનાનું કહેવુ છે, અમે વાસ્તવમાં પોતાના ભવિષ્ય વિશે નહોતા વિચારી શકતા. તમે એક નવા પરિણિત કપલ તરીકે આ અંગે કઇ રીતે વિચારી શકો છો, જ્યારે કેન્સર જેવી બીમારી સામે જંગ લડી રહ્યા હો. લોકો ગંભીર બીમારી પર એક અથવા બે રીતે પ્રતિક્રિયા આપે છે, મેં આ અંગે વારંવાર જોયુ છે. પહેલું એ કે મારા પતિ કઈ રીતે પોતાના દુઃખમાં એટલા ડૂબી ગયા હતા. બીજું એ કે, કેટલાક લોકો પોતાની આસપાસના લોકોને લઇને પણ ચિંતિત હોય છે. યાના પોતાના પતિ સાથે અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં રહેતી હતી. તેણે કહ્યું કે, તે મુશ્કેલ સમયમાં તે કેવી હતી, તેને લઇને કોઇએ ચિંતા ના કરી.

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, યાનાએ રડતા કહ્યું- અમે ઘણા ડૉક્ટરોને બતાવ્યું. કોઈ એક વ્યક્તિએ પણ મદદ ના કરી. કોઈએ ના પૂછ્યું કે શું તમને સપોર્ટની જરૂર છે? યાનાના પતિએ પોતાના કેન્સરની સારવાર કરાવવી ચાલુ રાખી હતી પરંતુ, બીમારી બદતર થતી જઈ રહી હતી. તે કહે છે, મેં પોતાના પૂર્વ પતિના કેન્સરના સમયે દરેકરીતે તેમની ભલાઈ ઈચ્છી. પરંતુ, જેમ જેમ વર્ષો વીતતા ગયા મારી આશા ઓછી થતી ગઈ. મેં પાંચ વર્ષ સુધી બધી જ રીતે સારવાર કરાવી પરંતુ, પછી અમારા સંબંધોમાં પ્રોબ્લેમ આવવા માંડી. મેં પાંચ વર્ષ બાદ તેમને છોડવાનું વિચાર્યું. પરંતુ, અનુભવાયુ કે કંઈ નહીં કરી શકીશ. જ્યારે કોઈ તમારી સામે મરી રહ્યું હોય, તો તમે મહેસૂસ કરશો કો તમે પોતાની ભલાઈ માટે કંઈ નહીં કહી શકશો કારણ કે, તમે તેના દર્દ સાથે તેની તુલના કરવા માંડશો.

યાનાએ જણાવ્યું કે, તેની એક ફ્રેન્ડે પોતાનો જીવ લઈ લીધો હતો. તેનાથી તેને પોતાના બીમાર પતિને છોડવામાં સરળતા થઈ. તેણે કહ્યું, મેં પહેલીવાર અંતિમ સંસ્કાર જોયા અને તે ચોંકાવનારા હતા. મારા મગજમાં તે સમયે ચાલી રહ્યું હતું કે આત્મહત્યા જ એક ઓપ્શન છે. જ્યારે મેં પહેલા ક્યારેય આ અંગે વિચાર્યું નહોતું. તો ખૂબ જ ખરાબ સ્થિતિ હતી. ત્યારે હું સમજી ગઈ કે જો પોતાને ના બચાવી શકી, તો ચોક્કસ મરી જઇશ. ત્યારબાદ યાનાએ છૂટાછેડા માટે અરજી કરી. તે પોતાના પતિને છોડીને ચાલી ગઈ. તે સારવારની શરૂઆતમાં યાના વિશે વિચારતો હતો પરંતુ, છૂટાછેડા બાદ માત્ર પોતાના પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધુ.

યાનાને સમાજ તરફથી જે પ્રતિક્રિયા મળી, તે આશાઓ કરતા ઉલટ હતી. પતિનો પરિવાર નારાજ હતો, લોકો ભયાનક મેસેજ મોકલી રહ્યા હતા. યાનાએ છૂટાછેડા બાદ પતિ સાથે વાત કરવાનું બંધ કરી દીધુ. પતિના મોતથી બે વર્ષ પહેલા જ બીજા લગ્ન કરી લીધા. તેને ફેસબુક પર તેના મોત વિશે જાણકારી મળી. તે ત્યારે સિંગાપોરમાં કામ કરી રહી હતી. યાનાને એ વાતનો કોઈ પસ્તાવો નથી કે તે પોતાના પતિને આવી હાલતમાં છોડીને ચાલ ગઈ. તેને પોતાના માટે જ દુઃખ થાય છે કે તેની સારવાર દરમિયાન કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.