અહેેમદ પટેલ સુપુર્દ-એ-ખાક, અંતિમ યાત્રામાં જામી મોટી ભીડ, જુઓ ફોટો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ તેમના વતન પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં માતા-પિતાની કબરની બાજુમાં જ કરવામાં આવી હતી. અહેમદ પટેલનું નિધન ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં થયું હતું અને ત્યાંથી તેમના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેનના મારફતે વડોદરાના એરપોર્ટ પર લાવવમાં આવ્યો હતો. પીરામણ ગામથી કબ્રસ્તાન સુધી અહેમદ પટેલની અંતિમ યાત્રામાં મોટી ભીડ જોવા મળી હતી.

વડોદરાના એરપોર્ટ પરથી અહેમદ પટેલના પાર્થિવ દેહને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાંથી અહેમદ પટેલમાં પાર્થિવ દેહને દફનવિધિ કરવા માટે પિરામણમાં લઇ જવામાં આવ્યો હતો.

પિરામણમાં અહેમદ પટેલનો પાર્થિવ દેહ પહોંચ્યા પછી સુન્ની વ્હોરા જમાતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલન પાર્થિવદેહની દફનવિધિની તૈયારી કરવામાં આવી હતી. જનાજાની નમાજ અદા કર્યા પછી અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી હતો અને રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી.

અહેમદ પટેલની દફનવિધિ સમયે ક્બ્રસ્તાનની બહાર હજારો લોકો એકઠા થયા હતા. જો કે, કબ્રસ્તાનમાં 50 લોકોને જ પ્રવેશાની મંજૂરી હોવાના કારણે કબ્રસ્તાનની બહાર એકઠા થયેલા લોકો અંતિમ દર્શન માટે કબ્રસ્તાનની અંદર જઈ શક્યા ન હોતા.

અહેમદ પટેલની શ્રદ્ધાંજલિ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પુષ્પગુચ્છ મોકલવામાં આવ્યો હતો. અહેમદ પટેલની દફનવિધિ દરમિયાન કબ્રસ્તાનની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હોવાના કારણે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા.

પિરામણની જે ગલીઓમાંથી અહેમદ પટેલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા પરંતુ લોકોએ શિસ્તબદ્ધ રીતે લાઈન લગાવી હતી. આ ઉપરાંત કેટલીક જગ્યા પર અંતિમયાત્રામાં લોકો ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા.

અહેમદ પટેલની અંતિમની યાત્રામાં લોકો સામાજિક અંતરના ભાન ભૂલ્યા હતા તો કેટલાક લોકો માસ્ક વગરના પણ જોવા મળ્યા હતા.

અહેમદ પટેલની અંતિમયાત્રામાં જોડાવવા માટે શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર, મધુસુદન મિસ્ત્રી અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહીતના દિગ્ગજ નેતાઓ પિરામણ ગામમાં પહોંચ્યા હતા. 

About The Author

Top News

હાર્દિક પંડ્યાએ પુત્ર અને પૂર્વ પત્નીને ગિફ્ટમાં આપી લક્ઝરી કાર; કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક 2014માં અલગ થઇ ગયા હતા અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમના છૂટાછેડાની...
Sports 
હાર્દિક પંડ્યાએ પુત્ર અને પૂર્વ પત્નીને ગિફ્ટમાં આપી લક્ઝરી કાર; કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે

મુકેશ અંબાણીના શેરથી પ્રભાવિત થયા શેર બજારના નિષ્ણાતો! રેટિંગ આપતા કહ્યું, 'કિંમત 28 ટકા વધશે'

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પર નિષ્ણાતો તેજીમાં છે અને તીવ્ર વધારાની અપેક્ષા રાખી રહ્યા...
Business 
મુકેશ અંબાણીના શેરથી પ્રભાવિત થયા શેર બજારના નિષ્ણાતો! રેટિંગ આપતા કહ્યું, 'કિંમત 28 ટકા વધશે'

JEE ટોપર્સે સફળતા મળ્યા પછી ખુલાસો કર્યો; સ્માર્ટફોન છોડીને સાદા કીપેડવાળા ફોન અપનાવ્યા!

એવું કહેવાય છે કે, સફળતા હંમેશા બલિદાન માંગતી હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો આ...
National 
JEE ટોપર્સે સફળતા મળ્યા પછી ખુલાસો કર્યો; સ્માર્ટફોન છોડીને સાદા કીપેડવાળા ફોન અપનાવ્યા!

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધી 2378 કરોડ રૂપિયાનો ખર્ચ થયો, આવક માત્ર 131 કરોડ રૂપિયા

અમદાવાદને દેશ-વિદેશમાં ઓળખ અપાવનાર સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પર અત્યાર સુધી 2378 કરોડ રૂપિયાથી વધુનો જંગી ખર્ચ થયો છે, જ્યારે...
Gujarat 
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધી 2378 કરોડ રૂપિયાનો ખર્ચ થયો, આવક માત્ર 131 કરોડ રૂપિયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.