અહેેમદ પટેલ સુપુર્દ-એ-ખાક, અંતિમ યાત્રામાં જામી મોટી ભીડ, જુઓ ફોટો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ તેમના વતન પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં માતા-પિતાની કબરની બાજુમાં જ કરવામાં આવી હતી. અહેમદ પટેલનું નિધન ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં થયું હતું અને ત્યાંથી તેમના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેનના મારફતે વડોદરાના એરપોર્ટ પર લાવવમાં આવ્યો હતો. પીરામણ ગામથી કબ્રસ્તાન સુધી અહેમદ પટેલની અંતિમ યાત્રામાં મોટી ભીડ જોવા મળી હતી.

વડોદરાના એરપોર્ટ પરથી અહેમદ પટેલના પાર્થિવ દેહને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાંથી અહેમદ પટેલમાં પાર્થિવ દેહને દફનવિધિ કરવા માટે પિરામણમાં લઇ જવામાં આવ્યો હતો.

પિરામણમાં અહેમદ પટેલનો પાર્થિવ દેહ પહોંચ્યા પછી સુન્ની વ્હોરા જમાતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલન પાર્થિવદેહની દફનવિધિની તૈયારી કરવામાં આવી હતી. જનાજાની નમાજ અદા કર્યા પછી અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી હતો અને રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી.

અહેમદ પટેલની દફનવિધિ સમયે ક્બ્રસ્તાનની બહાર હજારો લોકો એકઠા થયા હતા. જો કે, કબ્રસ્તાનમાં 50 લોકોને જ પ્રવેશાની મંજૂરી હોવાના કારણે કબ્રસ્તાનની બહાર એકઠા થયેલા લોકો અંતિમ દર્શન માટે કબ્રસ્તાનની અંદર જઈ શક્યા ન હોતા.

અહેમદ પટેલની શ્રદ્ધાંજલિ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પુષ્પગુચ્છ મોકલવામાં આવ્યો હતો. અહેમદ પટેલની દફનવિધિ દરમિયાન કબ્રસ્તાનની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હોવાના કારણે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા.

પિરામણની જે ગલીઓમાંથી અહેમદ પટેલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા પરંતુ લોકોએ શિસ્તબદ્ધ રીતે લાઈન લગાવી હતી. આ ઉપરાંત કેટલીક જગ્યા પર અંતિમયાત્રામાં લોકો ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા.

અહેમદ પટેલની અંતિમની યાત્રામાં લોકો સામાજિક અંતરના ભાન ભૂલ્યા હતા તો કેટલાક લોકો માસ્ક વગરના પણ જોવા મળ્યા હતા.

અહેમદ પટેલની અંતિમયાત્રામાં જોડાવવા માટે શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર, મધુસુદન મિસ્ત્રી અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહીતના દિગ્ગજ નેતાઓ પિરામણ ગામમાં પહોંચ્યા હતા. 

About The Author

Related Posts

Top News

હનુમાનગઢી મંદિર મુસ્લિમે બનાવ્યું હતું, પરંતુ ત્યાં ક્યારેય કોઈએ નમાઝ અદા કરી નથી; BJP નેતા બ્રિજભૂષણ શરણ સિંહની સ્પષ્ટ વાત

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના નંદિની નગર સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત પ્રતિભા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપ્યા પછી, રેસલિંગ...
National 
હનુમાનગઢી મંદિર મુસ્લિમે બનાવ્યું હતું, પરંતુ ત્યાં ક્યારેય કોઈએ નમાઝ અદા કરી નથી; BJP નેતા બ્રિજભૂષણ શરણ સિંહની સ્પષ્ટ વાત

ડૉક્ટરે 25 લાખની ઓફર ઠુકરાવી, ઇમાનદારી વેચવાનો કર્યો ઇનકાર, એક કોલેબના જ મળી રહ્યા છે 5 લાખ

તાજેતરના વર્ષોમાં, ઇન્ટરનેટ એવી સામગ્રીથી ભરાઇ ગયું છે જેમાં ફક્ત લોકો જ નહીં, પણ વિવિધ પ્રકારના ઉત્પાદનો પણ...
Lifestyle 
ડૉક્ટરે 25 લાખની ઓફર ઠુકરાવી, ઇમાનદારી વેચવાનો કર્યો ઇનકાર, એક કોલેબના જ મળી રહ્યા છે 5 લાખ

આમને ટીચર કેમ કહેવા, બાળકોને શું ભણાવતા હશે? વર્ગખંડમાં શિક્ષકોની રોમેન્ટિક પળનો વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશના કનૌજ જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં...
National 
આમને ટીચર કેમ કહેવા, બાળકોને શું ભણાવતા હશે? વર્ગખંડમાં શિક્ષકોની રોમેન્ટિક પળનો વીડિયો વાયરલ

દેશને પહેલી હાઇડ્રોજન ટ્રેન; કોઈ ઇલેક્ટ્રિક વાયરિંગ નહીં, કોઈ ડીઝલ ખર્ચ નહીં, એક સાથે 2600 લોકો મુસાફરી કરી શકશે

17 જુલાઈ, 2026, ભારતીય રેલ્વે માટે એક ઐતિહાસિક તારીખ બની ગઈ છે. PM નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન-ઇંધણવાળી...
Business 
દેશને પહેલી હાઇડ્રોજન ટ્રેન; કોઈ ઇલેક્ટ્રિક વાયરિંગ નહીં, કોઈ ડીઝલ ખર્ચ નહીં, એક સાથે 2600 લોકો મુસાફરી કરી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.