અહેેમદ પટેલ સુપુર્દ-એ-ખાક, અંતિમ યાત્રામાં જામી મોટી ભીડ, જુઓ ફોટો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ તેમના વતન પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં માતા-પિતાની કબરની બાજુમાં જ કરવામાં આવી હતી. અહેમદ પટેલનું નિધન ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં થયું હતું અને ત્યાંથી તેમના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેનના મારફતે વડોદરાના એરપોર્ટ પર લાવવમાં આવ્યો હતો. પીરામણ ગામથી કબ્રસ્તાન સુધી અહેમદ પટેલની અંતિમ યાત્રામાં મોટી ભીડ જોવા મળી હતી.

વડોદરાના એરપોર્ટ પરથી અહેમદ પટેલના પાર્થિવ દેહને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાંથી અહેમદ પટેલમાં પાર્થિવ દેહને દફનવિધિ કરવા માટે પિરામણમાં લઇ જવામાં આવ્યો હતો.

પિરામણમાં અહેમદ પટેલનો પાર્થિવ દેહ પહોંચ્યા પછી સુન્ની વ્હોરા જમાતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલન પાર્થિવદેહની દફનવિધિની તૈયારી કરવામાં આવી હતી. જનાજાની નમાજ અદા કર્યા પછી અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી હતો અને રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી.

અહેમદ પટેલની દફનવિધિ સમયે ક્બ્રસ્તાનની બહાર હજારો લોકો એકઠા થયા હતા. જો કે, કબ્રસ્તાનમાં 50 લોકોને જ પ્રવેશાની મંજૂરી હોવાના કારણે કબ્રસ્તાનની બહાર એકઠા થયેલા લોકો અંતિમ દર્શન માટે કબ્રસ્તાનની અંદર જઈ શક્યા ન હોતા.

અહેમદ પટેલની શ્રદ્ધાંજલિ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પુષ્પગુચ્છ મોકલવામાં આવ્યો હતો. અહેમદ પટેલની દફનવિધિ દરમિયાન કબ્રસ્તાનની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હોવાના કારણે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા.

પિરામણની જે ગલીઓમાંથી અહેમદ પટેલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા પરંતુ લોકોએ શિસ્તબદ્ધ રીતે લાઈન લગાવી હતી. આ ઉપરાંત કેટલીક જગ્યા પર અંતિમયાત્રામાં લોકો ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા.

અહેમદ પટેલની અંતિમની યાત્રામાં લોકો સામાજિક અંતરના ભાન ભૂલ્યા હતા તો કેટલાક લોકો માસ્ક વગરના પણ જોવા મળ્યા હતા.

અહેમદ પટેલની અંતિમયાત્રામાં જોડાવવા માટે શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર, મધુસુદન મિસ્ત્રી અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહીતના દિગ્ગજ નેતાઓ પિરામણ ગામમાં પહોંચ્યા હતા. 

About The Author

Top News

ચાંદની સાથે લગ્ન કરવા માટે આયુષ બની ગયો મુસ્લિમ, પિતાએ તેને ઘરમાં પુરી દીધો; હાઇકોર્ટે કહ્યું કે- તે હવે આઝાદ છે

અલહાબાદ હાઇકોર્ટે 31 વર્ષીય આયુષ મલિકને મુક્ત કર્યો છે. આયુષે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેણે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ...
National 
ચાંદની સાથે લગ્ન કરવા માટે આયુષ બની ગયો મુસ્લિમ, પિતાએ તેને ઘરમાં પુરી દીધો; હાઇકોર્ટે કહ્યું કે- તે હવે આઝાદ છે

ડુંગળી રૂ. 70 પ્રતિ કિલો વેચાઈ રહી છે; જાણો તેની કિંમત આટલી બધી કેવી રીતે વધી?

સરકાર તેના બફર સ્ટોકમાંથી ભલે ડુંગળી રૂ. 35 પ્રતિ કિલો વેચી રહી હશે. જોકે, દેશના ઘણા ભાગોમાં, લોકો...
Business 
ડુંગળી રૂ. 70 પ્રતિ કિલો વેચાઈ રહી છે; જાણો તેની કિંમત આટલી બધી કેવી રીતે વધી?

AM/NS Indiaએ ડ્યુઅલ BIS પ્રમાણપત્રો મેળવ્યા

હજીરા - સુરત, સપ્ટેમ્બર 17, 2026 : આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ બે મહત્વપૂર્ણ નવાં ધોરણો હેઠળ ભારતીય...
Gujarat 
AM/NS Indiaએ ડ્યુઅલ BIS પ્રમાણપત્રો મેળવ્યા

19 વર્ષના જમાઈ સાથે પ્રેમમાં પડી સાસુ! 5 બાળકોની માતાએ સાથે રહેવા માટે જીદ કરી

તમને કદાચ ઉત્તર પ્રદેશના અલીગઢની સાસુ-જમાઈની પ્રેમકથા તો યાદ હશે જ. માતાને તે છોકરા સાથે પ્રેમ થઈ ગયો જેની સાથે...
National 
19 વર્ષના જમાઈ સાથે પ્રેમમાં પડી સાસુ! 5 બાળકોની માતાએ સાથે રહેવા માટે જીદ કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.