સુરતમાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા, તમે આના પર શું કહેશો?

સુરતના આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. ભાજપ કમલમ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પહોંચ્યા હતા. આ વાતની પાર્ટીના પહેલા 4 અને નવા 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. કુલ 10 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો. આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ઉધાનમાં આવેલા ભાજપ કાર્યાલયે પહોંચીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ કાર્યાલય ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના મોટા નોતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

આમ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાવાના છે તેમના નામ સામે આવ્યા છે. વોર્ડ નંબર-5ના કોર્પોરેટર અશોક ધામી, વોર્ડ નંબર-5ના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ, વોર્ડ નંબર-4ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા,  વોર્ડ નંબર-17ના મહિલા કોર્પોરેટર સ્વાતિ ક્યાડા, વોર્ડ નંબર-5ના કોર્પોરેટર કિરણ ખોખાણી, વોર્ડ નંબર-4ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા, વોર્ડ નંબર-3ના મહિલા કોર્પોરેટર ઋતા ખેની, વોર્ડ નંબર-8ના મહિલા કોર્પોરેટર જ્યોતિ લાઠીયા, વોર્ડ નંબર-2ના મહિલા કોર્પોરેટર ભાવના સોલંકી, વોર્ડ નંબર-16ના કોર્પોરેટર વિપુલ મોવલિયાનો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટીના આ 10 કોર્પોરેટરો ભાજપ કાર્યાલયે જોડાયા છે. સુરત આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપ જોડાયા બાદ હવે માત્ર વિરોધ પક્ષમાં 17 કોર્પોરેટર રહ્યા છે. તો દિલ્હીના કથિત આબકારીનીતિ કૌભાંડના કેસમાં મનિષ સિસોદિયા બાદ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ આ કેસમાં શુક્રવારે અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલની સવારે 11:00 વાગ્યે પૂછપરછ માટે પોતાની ઓફિસ બોલાવ્યા છે.

તપાસ એજન્સીએ પોતાની નોટિસમાં કહ્યું છે કે, નવી આબકારી નીતિ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, CBI આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. સિસોદિયા હાલમાં તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આ પ્રકારનો આરોપ છે કે દિલ્હી સરકારની 2021-22ની આબકારી નીતિમાં દારૂના વેપારીઓનું લાઇસન્સ આપવા માટે કેટલાક ડીલરોને ફાયદો પહોંચાડવામાં આવ્યો, જેમણે કથિત રીતે તેના માટે લાંચ આપી હતી. જો કે, આમ આદમી પાર્ટીને આ આરોપોનું ખંડન કર્યું હતું. દિલ્હી સરકારે નવી આબકારી નીતિ પછી પાછી લઈ લીધી હતી.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.