કેજરીવાલે ગુજરાતના 4 ધારાસભ્યોનું કદ વધારી દીધું, નેશનલ લેવલની જવાબદારી આપી

PC: ndtv.com

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સામેના કેસના ટેન્શન વચ્ચે અરવિંદ કેજરીવાલે ગુજરાતના 4 ધારાસભ્યોને મોટી જવાબદારી સોંપીને તેમનું રાજકીય કદ વધારી દીધું છે. તેમાં પણ બે ધારાસભ્યોને તો અન્ય જવાબદારી પણ આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ચૂંટણી પ્રચારથી સૌનું ધ્યાન ખેંચનારી આમ આદમી પાર્ટી સંગઠનના વિસ્તરણમાં વ્યસ્ત છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ડો.સંદીપ પાઠકે ગુજરાતના ચાર ધારાસભ્યોને રાષ્ટ્રીય ટીમમાં સમાવેશ કર્યો છે. પાર્ટીએ ગુજરાતમાંથી બે ધારાસભ્યો હેમંત  ખવા અને ચૈતર દેસાઇને રાજસ્થાનના સહ પ્રભારી પણ બનાવ્યા છે.

હેમંત ખવા

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતે ચાર ધારાસભ્યોની પદોન્નિત કરીને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી છે. જેમાં ભૂપત ભાયાણી, હેમંત ખવા, સુધીર વાઘાણી અને ઉમેશ મકવાણાના નામ ધારાસભ્યોમાં સામેલ છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ ડો.સંદીપ પાઠકે આ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી.

ભુપત ભાયાણી

પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ ડો.સંદીપ પાઠકે આ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. પાર્ટીએ તેના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભામાં નેતાની જવાબદારી આપી છે. નવી જાહેરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજસ્થાનના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ રાજસ્થાન માટે કુલ સાત પ્રભારીઓની નિમણૂક કરી છે. જેમાં ચૈતર વસાવા સાથે હેમંત ખવાના નામનો સમાવેશ થાય છે.

ચૈતર વસાવા

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી વિપશ્યનાની સાધના કરીને પરત ફર્યા છે, તાજેતરમાં તેમણે વડોદરામાં પાર્ટી સંગઠનની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મનોજ સોરઠીયા, અલ્પેશ કથીરિયા હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડોદરાના AAPના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. વડોદરમાં અત્યારે પ્રતિમા વ્યાસને શહેર અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે.

ઉમેશ મકવાણા

આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવીને ઇસુદાન ગઢવીને જવાબદારી સોંપી હતી. ઇસુદાન પ્રમુખ બન્યા પછી પાર્ટીમાં ખાસ્સા બદલાવ જોવા મળી રહ્યા છે.

ઇસુદાન ગઢવી સામે પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓની સાથે લોકસભાની ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરવાનું દબાણ છે. આદમી પાર્ટીનો રોડમેપ અને ભવિષ્ય લોકસભા ચૂંટણી દ્વારા જ નક્કી થાય તેવી અપેક્ષા છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને લગભગ 13 ટકા વોટ મળ્યા હતા. આ વોટ બચાવવાની સાથે સાથે વોટ શેર  વધારવાનો પણ મોટો પડકાર છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp