વિપક્ષનો સંઘ કાશીએ કેવી રીતે પહોંચશે? પટનામાં બેઠક પહેલા AAPની કોંગ્રેસને આ ધમકી

નીતિશ કુમારે આવતી કાલે એટલે કે શુક્રવારે 23 જૂને પટનામાં વિરોધ પક્ષની બેઠક બોલાવી છે. બેઠકના એક દિવસ પહેલા વિપક્ષી એકતામાં ભાગલા પડતા જોવા મળી રહ્યા છે.આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું છે. AAPનું કહેવું છે કે જો કોંગ્રેસ દિલ્હી વટહુકમનું સમર્થન નહીં કરે તો ,પાર્ટી વિપક્ષની બેઠકનો બોયકોટ કરશે.

કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અધિકારોને લઈને લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિરુદ્ધ કેજરીવાલ સરકારના કેસમાં દિલ્હી સરકારની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. જેમાં ચૂંટાયેલી સરકારને અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ પછી, કેન્દ્ર સરકાર National Capital Civil Service Authority ઓથોરિટી બનાવવા માટે વટહુકમ લાવી છે.

આ વટહુકમ જાહેર થયા બાદથી કેજરીવાલ દેશભરના વિપક્ષી નેતાઓને મળીને તેમનું સમર્થન માંગી રહ્યા છે. આ વટહુકમને કાયદો બનાવવા માટે તેને છ મહિનામાં સંસદમાંથી પસાર કરાવવો જરૂરી છે. કેન્દ્ર સરકારની બહુમતી હોવાને કારણે તેને લોકસભામાં સરળતાથી પસાર કરી દેવામાં આવશે. પરંતુ કેજરીવાલને આશા છે કે જો રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓ સાથે આવે તો ભાજપને નંબર ગેમમાં હરાવી શકાય છે.

આ પહેલા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે બુધવારે બેઠકના મુખ્ય એજન્ડામાં દિલ્હી સરકાર વિરુદ્ધ કેન્દ્રના વટહુકમને સામેલ કરવાની માંગ કરી હતી. કેજરીવાલે વિપક્ષી પાર્ટીઓને પત્ર લખીને કેન્દ્રના વટહુકમ પર ચર્ચા કરવાની માંગ કરી છે.

બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે અરવિંદ કેજરીવાલનો વટહુકમ મુદ્દો મહત્વનો મુદ્દો નથી. આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે, પરંતુ ખરો મુદ્દો એ છે કે 2024માં ભાજપને કેવી રીતે હરાવી શકાય? તેની ચર્ચા કરવાની જરૂર છે.

આ પહેલાં કેજરીવાલે જુદા જુદા રાજ્યોમાં જઈને પ્રાદેશિક પક્ષોના નેતાઓને મળ્યા હતા અને વટહુકમ પર તેમનું સમર્થન માંગ્યું હતું. આ પછી કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને પણ મળવા માટે સમય માંગ્યો હતો. જો કે હજુ સુધી ખડગે અને રાહુલ ગાંધી દ્વારા કેજરીવાલને સમય આપવામાં આવ્યો નથી. વાસ્તવમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કેજરીવાલને સમર્થન આપવાના પક્ષમાં નથી.

નીતિશ કુમારે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પટનામાં વિપક્ષની બેઠક બોલાવી છે. બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ બેઠકમાં ભાગ લેવા માટે નેતાઓ 22 જૂન એટલે કે આજથી જ પટના પહોંચવાનું શરૂ કરશે. મળતી માહિતી મુજબ PDP સુપ્રીમો અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM મહેબૂબા મુફ્તી પટના પહોંચી ગયા છે. જ્યારે બંગાળનાCM મમતા બેનર્જી સાંજે પહોંચશે. , મમતાની સાથે TMC સાંસદ અભિષેક બેનર્જિ પણ હશે. પટના પહોંચ્યા બાદ મમતા સીધા RJD સુપ્રીમો લાલુ પ્રસાદને તેમના નિવાસસ્થાન 10, સર્ક્યુલર રોડ પર મળવા જશે. AAPના કન્વીનર અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આજે જ પટના પહોંચી રહ્યા છે.

બિહારમાં મળનારી વિપક્ષની બેઠકમાં નીતિશ કુમાર, તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, મમતા બેનર્જી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, હેમંત સોરેન, એમ કે સ્ટાલિન, ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મૂફ્તી, ડી રાજા, દિપાંકર ભટ્ટાચાર્ય, સીતારામ યેચૂરી ઉપસ્થિત રહેશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.