રાહુલ ગાંધીનો આરોપ અદાણીએ કોલસામાંથી 12000 કરોડનું કૌભાંડ કર્યું છે

કોલસાની કિંમતોને લઈને લંડન ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કોલસાના ખોટા ભાવ બતાવીને અને ખોટા બિલો બતાવીને વીજળીના ભાવમાં વધારો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અદાણીએ સીધા પ્રજાના ખિસ્સામાંથી રૂ. 12 હજાર કરોડ સેરવી લીધા છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તેમણે શરદ પવારને આ સવાલ કેમ નથી પુછતા, જ્યારે INDIA ગઠબંધનનો વિરોધ છતા શરદ પવાર ગૌતમ અદાણીને મળ્યા હતા. આ સવાલ પર રાહુલે કહ્યું કે તેમણે અત્યાર સુધી શરદ પવારને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. તેની પાછળનું કારણ એ છે કે શરદ પવાર વડાપ્રધાન નથી.રાહુલે કહ્યુ કે જો શરદ પવાર PM હતે તો તેમને પણ હું આ સવાલ પુછતે.

લંડન ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણીની કંપનીએ સસ્તામાં કોલસો ખરીદીને તેની કિંમત વધારે બતાવી છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે, શરદ પવાર પ્રધાનમંત્રી નથી અને શરદ પવાર અદાણીને બચાવી રહ્યા નથી. અદાણીને તો PM છાવરી રહ્યા છે. પ્રધાનમંત્રીની વિશ્વસનીયતા પર સવાલ ઉભો થયો છે.

પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યારે ગરીબ લોકો પંખો ચલાવે છે કે બલ્બ લગાવે છે ત્યારે પૈસા સીધા અદાણીના ખિસ્સામાં જાય છે. તેમણે વધુમાં કહ્યું કે અદાણીની ભારતના વડાપ્રધાન રક્ષા કરી રહ્યા છે. લોકો કોઈપણ સ્વીચ દબાવતાની સાથે જ તેમના પૈસા સીધા અદાણીના ખિસ્સામાં જાય છે. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કોલસાની ખરીદી અને વેચાણમાં ઓવર ઈન્વોઈસિંગ કરે છે.

લંડન ફાઈનાન્સિયલ ટાઈમ્સનો અહેવાલ પ્રેસ કોન્ફરન્સમાં બતાવીને રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સીધી રીતે વીજળી ચોરીનો મામલો છે. રાહુલે સવાલ કર્યો કે અદાણીમાં એવું તે શું છે કે ભારત સરકાર તેમની સામે તપાસ નથી કરાવી શકતી. તેમની પાછળ એવી કઇ શક્તિ છે તે ભારતની જનતા જાણવા માંગે છે.

NCP ચીફ શરદ પવાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની બેઠકે મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી રાજકીય હલચલ મચાવી દીધી હતી. શરદ પવાર અને અદાણી વચ્ચેની આ બેઠક અમદાવાદમાં થઈ હતી, જેને લઈને ભાજપે કોંગ્રેસ અને ભારતના ગઠબંધન પર સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે રાહુલ ગાંધીને પણ ઘેરવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.