રાહુલ ગાંધીનો આરોપ અદાણીએ કોલસામાંથી 12000 કરોડનું કૌભાંડ કર્યું છે

કોલસાની કિંમતોને લઈને લંડન ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કોલસાના ખોટા ભાવ બતાવીને અને ખોટા બિલો બતાવીને વીજળીના ભાવમાં વધારો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અદાણીએ સીધા પ્રજાના ખિસ્સામાંથી રૂ. 12 હજાર કરોડ સેરવી લીધા છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તેમણે શરદ પવારને આ સવાલ કેમ નથી પુછતા, જ્યારે INDIA ગઠબંધનનો વિરોધ છતા શરદ પવાર ગૌતમ અદાણીને મળ્યા હતા. આ સવાલ પર રાહુલે કહ્યું કે તેમણે અત્યાર સુધી શરદ પવારને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. તેની પાછળનું કારણ એ છે કે શરદ પવાર વડાપ્રધાન નથી.રાહુલે કહ્યુ કે જો શરદ પવાર PM હતે તો તેમને પણ હું આ સવાલ પુછતે.

લંડન ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણીની કંપનીએ સસ્તામાં કોલસો ખરીદીને તેની કિંમત વધારે બતાવી છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે, શરદ પવાર પ્રધાનમંત્રી નથી અને શરદ પવાર અદાણીને બચાવી રહ્યા નથી. અદાણીને તો PM છાવરી રહ્યા છે. પ્રધાનમંત્રીની વિશ્વસનીયતા પર સવાલ ઉભો થયો છે.

પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યારે ગરીબ લોકો પંખો ચલાવે છે કે બલ્બ લગાવે છે ત્યારે પૈસા સીધા અદાણીના ખિસ્સામાં જાય છે. તેમણે વધુમાં કહ્યું કે અદાણીની ભારતના વડાપ્રધાન રક્ષા કરી રહ્યા છે. લોકો કોઈપણ સ્વીચ દબાવતાની સાથે જ તેમના પૈસા સીધા અદાણીના ખિસ્સામાં જાય છે. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કોલસાની ખરીદી અને વેચાણમાં ઓવર ઈન્વોઈસિંગ કરે છે.

લંડન ફાઈનાન્સિયલ ટાઈમ્સનો અહેવાલ પ્રેસ કોન્ફરન્સમાં બતાવીને રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સીધી રીતે વીજળી ચોરીનો મામલો છે. રાહુલે સવાલ કર્યો કે અદાણીમાં એવું તે શું છે કે ભારત સરકાર તેમની સામે તપાસ નથી કરાવી શકતી. તેમની પાછળ એવી કઇ શક્તિ છે તે ભારતની જનતા જાણવા માંગે છે.

NCP ચીફ શરદ પવાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની બેઠકે મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી રાજકીય હલચલ મચાવી દીધી હતી. શરદ પવાર અને અદાણી વચ્ચેની આ બેઠક અમદાવાદમાં થઈ હતી, જેને લઈને ભાજપે કોંગ્રેસ અને ભારતના ગઠબંધન પર સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે રાહુલ ગાંધીને પણ ઘેરવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.