'ભારતીય લોકશાહી ઓમ શાંતિ' રાહુલનું સભ્યપદ રદ થતા કોંગ્રેસી નેતાઓએ જાણો શું કહ્યુ

સુરતની કોર્ટમાં માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા પછી શુક્રવારે તેમની લોકસભા સદસ્યતા રદ કરી દેવાના સમાચારે રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. લોકસભા સ્પીકરે 23 માર્ચથી અમલમાં આવે તે રીતે રાહુલ ગાંધીનું કેરળના વાયનાડના સાંસદ તરીકેનું સભ્ય પદ રદ કરી દીધું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. આ પછી કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ખતમ કરવી એ સરમુખત્યારશાહીનું બીજું ઉદાહરણ છે. સાથે જ શશિ થરૂરે કહ્યું કે આ આપણી લોકશાહી માટે અશુભ સંકેત છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે આ લડાઈ કાયદાકીય અને રાજકીય બંને રીતે લડીશું. અમે ભયભીત કે મૌન રહીશું નહીં. PM સાથે જોડાયેલા અદાણી મહામેગા કૌભાંડમાં JPCને બદલે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. ભારતીય લોકશાહી ઓમ શાંતિ. સાથે જ શશિ થરૂરે કહ્યું કે કોર્ટના નિર્ણયના 24 કલાકની અંદર આ કાર્યવાહી અને તેની ઝડપ જોઈને હું સ્તબ્ધ છું. આ આપણા લોકતંત્ર માટે એક અશૂભ સંકેત છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતમ કરવી એ તાનાશાહીનું એક ઉદાહરણ છે. ભાજપે એ ન ભૂલવું જોઈએ કે તેઓએ ઈન્દિરા ગાંધી સામે પણ આ જ રીત અપનાવી હતી અને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. રાહુલ ગાંધી દેશનો અવાજ છે, જે આ તાનાશાહી સામે હવે વધારે મજબુત થશે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, હિંસા જેવા મુદ્દા ઉઠાવ્યા હતા, તેની પર ધ્યાન આપવાને બદલે ભાજપ સરકાર રાહુલ ગાંધી સામે દમનકારી પગલા લઇ રહી છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે જે લોકોએ દેશના પૈસા લૂંટ્યા, ભાજપ તેમના બચાવમાં કેમ ઉતરી છે? તપાસથી કેમ ભાગી રહી છે? જે લોકો સવાલ ઉઠાવે છે તેમની સામે કેસ કરવામાં આવે છે. શું ભાજપ ભ્રષ્ટ્રાચારીઓનું સમર્થન કરે છે? નીરવ મોદી કૌભાંડ 14,000 કરોડ, લલિત મોદી કૌભાંડ 425 કરોડ, મેહુલ ચોકસી કૌંભાંડ 13,500 કરોડ.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે, સત્ય બોલવા પર કાર્યવાહી કરવામાં આવે છે. રાહુલ ગાંધીને સાચું બોલવાની સજા મળી છે. રાહુલ ગાંધી દેશની સચ્ચાઇ લોકો સામે લાવી રહ્યા છે, જે ભાજપને પસંદ નથી આવતું. તેમણે કહ્યું કે, અમે લડતા રહીશુ, લોકતંત્રની રક્ષા કરવા માટે ભલે અમારે જેલ જવું પડે, અમે તૈયાર છીએ.

RJD સાંસદ મનોજ કુમાર ઝાએ કહ્યું કે તે કેટલું વિચિત્ર અને નિંદનીય છે. ભારતમાં લોકશાહી મરી ગઈ છે એવું હજુ પણ ન બોલો. વિપક્ષમાં રહેલા પક્ષોએ જોવું જોઈએ કે તે માત્ર 'કામ' વિશે નથી પરંતુ લડત લોકશાહીને પુનર્જીવિત કરવાની હોવી જોઈએ.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.