રાજનીતિમાંથી સંન્યાસ અંગે સોનિયા ગાંધીએ કહ્યું ન હું ક્યારેય રિટાયર થઈ હતી અને..

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજનીતિમાંથી પોતાની સંન્યાસના સમાચારોને નકારી દીધા છે. તેમણે કહ્યું કે, ન તો હું ક્યારેય રિટાયર થઈ હતી અને ન ક્યારેય થઈશ. કોંગ્રેસના નેતા અલ્કા લંબાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, તેમની સોનિયા ગાંધી સાથે આ મુદ્દા પર વાત થઈ છે. મેં મીડિયામાં આવી રહેલા મેડમના રિટાયરમેન્ટ સાથે જોડાયેલા સમાચારો બાબતે જણાવ્યું. તેમણે હસતા કહ્યું કે, હું ક્યારેય રિટાયર થઈ નથી અને આગળ પણ નહીં થાઉં.’

સોનિયા ગાંધીનું આ સ્ટટમેન્ટ એટલે આવ્યું કેમ કે રાયપુરમાં આપવામાં આવેલા તેમના ભાવુક ભાષણ બાદ એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે સોનિયા ગાંધી હવે રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકે છે. આ અટકળો પર રોક લગાવવા માટે જ તેમનું નિવેદન આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોંગ્રેસનું 85મું અધિવેશન ચાલી રહ્યું છે. રાયપુરમાં કાર્યક્રમ દરમિયાન પાર્ટીના પૂર્વ અધ્યાક્ષ સોનિયા ગાંધી ભાષણ આપતા ભાવુક થઈ ગયા હતા.

સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં પોતાની યાત્રાનો ઉલ્લેખ કરતા સહયોગીઓનો આભાર માન્યો. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની સફર અને પાર્ટી માટે યોગદાનને દર્શાવતો વીડિયો પણ પ્લે કરવામાં આવ્યો હતો. સોનિયા ગાંધીએ આ વીડિયો બાદ ભાવુક સંબિધન કરતા કોંગ્રેસ અધ્યક્ષ અને UPA શાસનના સમયના પોતાના કાર્યકાળને લઈને કહેલી વાતો બધાનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, વર્ષ 1998માં કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદ અત્યાર સુધી 25 વર્ષમાં આપણે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી અને નિરાશાનો સમય પણ જોયો.

સોનિયા ગાંધીએ વર્ષ 2004 અને વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં મનમોહન સિંહના નેતૃત્વમાં મળેલી જીતની મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, તેનાથી મને વ્યક્તિગત સંતોષ મળે છે, પરંતુ જે વાત મારા માટે સૌથી વધુ સંતોષકારક છે, તે એ કે મારી ઇનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ શકે છે, જે એક મહત્ત્વપૂર્ણ પડાવ પર આવી છે. સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના પણ વખાણ કર્યા અને તેના માટે તેમણે શુભેચ્છા પાઠવી.

સોનિયા ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધી માટે કહ્યું હતું કે, મુશ્કેલ યાત્રાને રાહુલ ગાંધીએ સંભવ કરી. તેમણે કાર્યકર્તાઓને કોંગ્રેસની તાકત બતાવી અને કહ્યું કે પાર્ટી દેશના હિતમાં લડશે. સોનિયા ગાંધીએ અંગત હિતોને કિનારે કરીને અનુશાસન સાથે કામ કરવાનો મંત્ર આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં અમે જરૂર સફળ થઈશું.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.