કોંગ્રેસે ભાજપના MLAને મોહનથાળનો પ્રસાદ ખવડાવ્યો, તો નેતા કહે- ઝેર તો નથીને...

અંબાજીના મોહનથાળના પ્રસાદનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગુંજી ઉઠ્યો હતો. કોંગ્રેસી સભ્યોએ ભાજપના ધારાસભ્યોને ગૃહમાં મોહનથાળ ખવડાવ્યો હતો, મોહનથાળ ખાનારા ભાજપી ધારાસભ્યએ ખાદ્ય પદાર્થની ફોરેન્સિક તપાસની માગ કરી હતી. અંબાજી પ્રસાદ અંગે ચર્ચા ન કરવાના આક્ષેપ સાથે વોક આઉટ કરનારા કોંગ્રેસી સભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. અંબાજી મંદિરમાં મોહનથાળને પ્રસાદ તરીકે શરૂ કરવા માટેની માગ રોજબરોજ વધતી જાય છે ત્યારે વિધાનસભામાં પણ શુક્રવારે મોહનથાળને અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકે શરૂ કરવા માટેનો મુદ્દો ગુંજી ઉઠ્યો હતો.

જો કે, આ મુદ્દે ચર્ચા થાય તે પહેલા જ કોંગ્રેસી ધારાસભ્યોએ ગૃહમાં માથાકૂટ કરી અને વોક-આઉટ કરી દીધુ હતુ. વોક-આઉટ કરનારા તમામ કોંગ્રેસી ધારાસભ્યોને અધ્યક્ષે એક દિવસ પૂરતા ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. વિધાનસભા ગૃહની બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ બાદ કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં મોહનથાળ લઈને આવ્યા હતા. આ મોહનથાળ ભાજપના તમામ ધારાસભ્યોને વહેંચવામાં અને ખવડાવવામાં આવ્યો હતો. જો કે આ સમયે વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યને સૂચના આપી હતી કે, જે પણ ધારાસભ્ય ખાદ્ય પ્રદાર્થ ગૃહમાં લઇને આવ્યા હોય તે બહાર મુકીને આવે.

આમ, વિધાનસભામાં પ્રશ્નોતરી બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ અંબાજી મંદિરના પ્રસાદ બાબતે વિરોધ કરવાનું ચાલું કર્યું હતું. ઈડર બેઠકના ભારતીય જનતા પારર્ટી ધારાસભ્યની રજૂઆતને આધિન વિધાનસભા અધ્યક્ષે તાત્કાલિક પગલાં લેવા કાર્યવાહી કરી હતી. તેમણે સાર્જન્ટને સૂચના આપી હતી કે, સમગ્ર ઘટનામાં યોગ્ય તપાસ થવી જોઈએ. એ સિવાય અધ્યક્ષે કહ્યું કે, ગૃહમાં વહેંચવામાં આવેલી મીઠાઈ ખાદ્ય છે કે અખાદ્ય છે? વગેરે અંગે પણ પૂરતી તપાસ થતો આખી ઘટનાનો રિપોર્ટ આપવા સાર્જન્ટને સૂચના આપી છે.

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળના બદલે ચિક્કીને પ્રસાદ તરીકે આપવાના નિર્ણયનો આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં તમામ ધારાસભ્યને મોહનથાળની વહેંચણી કરી હતી. કોગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં પ્રસાદ બાબતે સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંઘાવ્યો હતો. આ ઉપરાંત કોગ્રેસના ધારાસભ્યોએ અંબાજીના પ્રસાદ બાબતે વિધાનસભામાંથી વોક-આઉટ કર્યું હતું. અધ્યક્ષે વિરોધમાં જોડાયેલા ધારાસભ્યને નેમ કરીને નોટિસ આપી ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા છે.

વિધાનસભા અધ્યક્ષે ખાદ્ય સામગ્રી બહાર મૂકવાની જેવી સુચના આપી કે તરત જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કરવાની શરૂઆત કરી હતી. વિરોધ દરમિયાન કોગ્રેસના ધારાસભ્યો બોલ મારી અંબે જય જય અંબેના નારા લાગાવીને ગૃહની બહાર નીકળી ગયા હતા. તેમની માગણી હતી કે, અંબાજી મંદિરમાં મોહનથાળને પ્રસાદ તરીકે ફરી શરૂ કરવામાં આવે અને ચિક્કીનો પ્રસાદ બંધ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વિધાનસભામાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ પ્રસાદ બાબતે સરકારને રજૂઆત કરી હતી.

ગૃહમાં વહેચવામાં આવેલા મોહનથાળની તપાસ કરવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા કરવામાં આવી હતી. રમણલાલ વોરાએ અધ્યક્ષને રજૂઆત કરી હતી કે, કોગ્રેસના સભ્યો દ્વારા જે મોહનથાળની વહેંચણી કરવામાં આવી છે. તેમાં ઝેર જેવા પદાર્થ તો નથી? તેની તપાસ થવી જોઇએ. ગૃહમાં આ પ્રકારે ખાદ્ય પ્રદાર્થની વહેંચણી ન કરી શકાય આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઇએ તેવી અધ્યક્ષને રજૂઆત કરી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.