અમિત શાહે કરી દીધી જાહેરાત-2024માં કેટલી બેઠકો આવશે, કોણ વડાપ્રધાન બનશે

આસામના ડિબ્રૂગઢમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણી 2024ને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં BJP આસામની 14માંથી 12 સીટ જીતશે. તેમણે એવુ પણ કહ્યું કે, દેશમાં BJP 300 કરતા વધુ સીટો પર કબ્જો જમાવશે અને મોદીજી ત્રીજીવાર વડાપ્રધાન બનશે. BJP ડિબ્રૂગઢ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, BJP સંગઠનના આધાર પર ચાલનારી પાર્ટી છે અને કાર્યાલય BJPની તમામ ગતિવિધિઓનું કેન્દ્ર હોય છે. હાલ નોર્થ ઈસ્ટમાં 3 રાજ્યોની ચૂંટણી થઈ અને ત્રણેય રાજ્યમાં BJP સરકારનો હિસ્સો છે. નોર્થ ઈસ્ટના આઠ રાજ્યોમાં PM મોદીના નેતૃત્માં NDAની સરકાર છે અને આ કારણે જ નોર્થ ઈસ્ટનો વિકાસ થયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસને પણ પોતાના નિશાના પર લીધા. અમિત શાહે કહ્યું, રાહુલ બાબા હજુ પણ સમજી જાઓ. હમણા તો પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાંથી સૂપડા સાફ થયા છે. જો એ જ રસ્તા પર ચાલતા રહેશો, તો સમગ્ર દેશમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે. એટલું જ નહીં, શાહે PM મોદીને ગાળો આપવાને લઈને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પણ નિશાનો સાધ્યો. તેમણે કહ્યું, કોંગ્રેસવાળા કહે છે મોદી તેરી કબ્ર ખુદેગી. ભાઈ, તમારા કહેવાથી કંઈ નથી થતુ. દેશની 130 કરોડ જનતા દિવસ-રાત મોદીજીની લાંબી ઉંમરની પ્રાર્થના કરી રહ્યા છે. મોદીને ગાળો આપો. તમારા માતાજીએ પણ આ કરીને જોઈ લીધુ, રાહુલ બાબા. જેટલી ગાળો આપશો, કમળ એટલું જ ખીલશે. ગૃહ મંત્રી અમિત શાહ અહીં BJPના ક્ષેત્રીય કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, એક જમાનામાં પૂર્વોત્તરને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. હવે રાહુલ બાબાએ દેશની યાત્રા કરી. ત્યારબાદ પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની ચૂંટણી આવી. કોંગ્રેસના અહીંથી સૂપડા સાફ થઈ ગયા. હવે કોંગ્રેસ ક્યાંય નથી દેખાતી. તેઓ વિદેશ જાય છે. વિદેશ જઈને દેશની બુરાઈ કરે છે. રાહુલ બાબા હજુ પણ સમજી જાઓ. પૂર્વોત્તરમાંથી સૂપડા સાફ થઈ ગયા. જો હજુ પણ આ જ રસ્તા પર ચાલતા રહ્યા, તો દેશમાંથી સૂપડા સાફ થઈ જશે. વડાપ્રધાને સમગ્ર દુનિયામાં ભારતને યશ અપાવ્યું, ભારતને સુરક્ષિત કર્યું, પૂર્વોત્તરની અંદરથી આંતકવાદને સમાપ્ત કર્યો.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.