પૂર્વ મુખ્યમંત્રી અને TDP ચીફ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, જાણો શું છે આરોપ

આંધ્ર પ્રદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી લેવામાં આવી છે. CIDએ તેલેગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. વોરંટ જાહેર થયાના થોડા જ સમય બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી. જે સમયે તેમની ધરપકડ કરી એ સમયે ચંદ્રબાબુ નંદયાલામાં બસમાં રોકાયા હતા. બસથી ઉતર્યા બાદ પોલીસે તેમની સાથે વાતચીત કરી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી.

કૌશલ વિકાસ કૌભાંડના કેસમાં SIT અને CID અધિકારીઓએ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી છે. ચંદ્રબાબુએ સવાલ કર્યો કે, જ્યારે કૌશલ કૌભાંડ સાથે જોડાયેલા કોઈ પુરાવા વિના કેસની તપાસ કોર્ટમાં ચાલી રહી છે તો તેમની કેવી રીતે ધરપકડ કરવામાં આવશે. વકીલોએ કેસના કાગળો આપવા અને FIR કોપી દેખાડવા કહ્યું કે, પરંતુ પોલીસે કહ્યું કે, તેઓ રિમાન્ડ રિપોર્ટ નહીં આપી શકે. ચંદ્રબાબુની ધરપકડ દરમિયાન ખૂબ ડ્રામા થયા. તેમની તબિયત ખરાબ થવાનો દાવો કરવામાં આવ્યો. ધરપકડ બાદ CID તેમની તપાસ માટે હૉસ્પિટલ લઈ ગઈ.

આંધ્ર પ્રદેશના મંત્રીઓ અને સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના નેતાઓએ દાવો કર્યો હતો કે, TDPના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ 118 કરોડ રૂપિયાની લાંચ લીધી. એ સિવાય તેમના ઉપર 350 કરોડ રૂપિયાના કૌભાંડનો પણ આરોપ છે. ચંદ્રબાબુ નાયડુએ બે દિવસ અગાઉ જ કહ્યું હતું કે, તેમણે કસ્ટડીમાં લઈ શકાય છે. હાઇ બ્લડ પ્રેશર અને સુગરની જાણકારી મળ્યા બાદ CID ચંદ્રબાબુ નાયડુને મેડિકલ તપાસ માટે લઈ ગઈ છે. ચંદ્રબાબુ નાયડુના વકીલે કહ્યું કે, અમે જામીન માટે હાઇ કોર્ટનો દરવાજો ખખડાવી રહ્યા છીએ.

વકીલોએ FIRમાં ચંદ્રબાબુ નાયડુનું નામ હોવા પર સવાલ ઉઠાવ્યા. ચંદ્રબાબુએ પોલીસને સવાલ કર્યો કે, FIRમાં નામ બતાવ્યા વિના તેમની ધરપકડ કેવી રીતે કરી શકે છે. પોલીસે કહ્યું કે, ધરપકડ કરવા અગાઉ એ દસ્તાવેજ આપવા પડશે. ચંદ્રબાબુએ કહ્યું કે, સામાન્ય વ્યક્તિને પણ એ પૂછવાનો અધિકાર છે કે તેની શા માટે ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, તેમણે ડી.કે. બસુના કેસ મુજબ કાર્યવાહી કરી છે. તેઓ 24 કલાકની અંદર ધરપકડના કારણો સાથે દસ્તાવેજ ઉપલબ્ધ કરાવી દેશે.

ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, પોલીસ સમજ્યા વિના કામ કરી રહી છે. તે ચંદ્રબાબુની ધરપકડ કરીને વિજયવાડા લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. ચંદ્રબાબુ કૌશલ વિકાસ કૌભાંડમાં આરોપી છે. ચંદ્રબાબુ નંદયાલાની યાત્રાએ હતા. તેઓ આર.કે.ના સમારોહ હોલમાં રોકાયા હતા. DIG રઘુરામી રેડ્ડી અને જિલ્લા SP રઘુવીરા રેડ્ડી અન્ય પોલીસ અધિકારીઓ સાથે રાત્રે એ જગ્યા પર ગયા, જ્યાં તેઓ રોકાયા હતા. અંતે TDP નેતાઓને કસ્ટડીમાં  લેવામાં આવ્યા અને ત્યાંથી લઈ જવામાં આવ્યા.

શનિવારે સવારે 05:00 વાગ્યા બાદ પોલીસ એ ગાડી સુધી પહોંચી જ્યાં ચંદ્રબાબુ રોકાયા હતા. ગાડીની આસપાસ ઉપસ્થિત TDP નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ કરવામાં આવલા લોકોમાં ભૂમા બ્રહ્માનંદ રેડ્ડી, ભૂમા અખિલપ્રિયા, જગત વિખ્યાત રેડ્ડી, એ.વી. સુબાર રેડ્ડી, બી.સી. જનાર્દન રેડ્ડી અને અન્ય સ્થાનિક TDP નેતા સામેલ હતા. સમારોહ હૉલ પાસે ઉપસ્થિત TDP નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસે ત્યાંથી હટાવી દીધા.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.