ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધીઓ પર વરસ્યા કેન્દ્રીય મંત્રી, બોલ્યા-એ બધા કૂતરા..

બાગેશ્વર ધામના પિઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પટના આવવા પહેલા તો રાજનૈતિક વિવાદ થયો જ હતો, હવે તેઓ કથા કરીને ગયા બાદ પણ આ સંગ્રામ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. જનતા દળ યુનાઈટેડ (JDU) અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સતત બાગેશ્વર બાબા ઉપર એક બાદ એક પ્રહાર કરી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પટના એરપોર્ટથી ચાર્ટર્ડ પ્લેનથી રવાના થયા. ત્યારે એરપોર્ટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ પણ રહી. તેને લઈને JDU અને RJDએ નિવેદન આપ્યા હતા. આ બંને પાર્ટીઓના નિવેદન બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ જડબાતોડ જવાબ આપ્યો છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં કહ્યું કે, તે હાથી છે અને જે લોકો તેનું અપમાન કરી રહ્યા છે તેઓ બધા કૂતરા સમાન છે. તેઓ હાલતા હાથી પર ભસતા રહે છે. જેમણે બાબા પર ભસવું છે, ભસતા રહે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર તેની કોઈ અસર નહીં થાય. બિહારની ધરતી પર એક યુવા સંતનો ખૂબ નિરાદર થયો છે. અહી તેમના પોસ્ટર ફાડી દેવામાં આવ્યા. સાથે જ પોસ્ટરો પર સ્યાહી પણ લગાવી દેવામાં આવી. બિહારાના શ્રધાળું તેમના અપમાનનો બદલો જરૂર લેશે.

ધીરેન્દ્ર શાસ્ત્રી 17 મેના રોજ પટના એરપોર્ટથી મધ્ય પ્રદેશ માટે ચાર્ટર્ડ પ્લેનથી વાપસી કરી રહ્યા હતા. આ વાપસી દરમિયાન એરપોર્ટ પર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેને લઈને RJD અને JDUએ કેન્દ્ર સરકાર પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, એરપોર્ટ પર અધિકાર કેન્દ્ર સરકારને આધીન છે. પછી આટલી મોટી સંખ્યામાં લોકો એરપોર્ટની અંદર કેવી રીતે પ્રવેશી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવચન સ્થળ પર ભારે માત્રામાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા ક્યાં જતી રહી. ભાજપ સાધુ અને સંતોના નામ પર રાજનીતિ કરી રહી છે.

JDUના પ્રવક્તા અને MLC નીરજ કુમારે કહ્યું હતું કે, બિહાર સરકારે ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવચનમાં સુરક્ષા વ્યવસ્થાની પૂરતી વ્યવસ્થા કરી હતી, પરંતુ એરપોર્ટ ઓથોરિટી કેન્દ્ર સરકારની જવાબદારી છે. એરપોર્ટ પર પ્રોટોકૉલનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું. સાધુ સંતોને સ્પેશિયલ પ્લેનમાં જઈ જવા એક મોટો સવાલ છે. ભાજપ સાધુ સંતોના નામ પર રાજનીતિ કરે છે એટલે તેમને ચાર્ટર્ડ પ્લેનમાં લઈ જવામાં આવ્યા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.