કર્ણાટકની કોંગ્રેસ સરકાર વધુ નહીં ટકે, પડી જશે: CM સરમાએ કર્યો ચોંકાવનારો દાવો

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની નવી સરકાર પોતાનો આખો કાર્યકાળ પૂરો નહીં કરી શકે અને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત બાદ પડી શકે છે. તેઓ ‘આપકી અદાલત’માં રજત શર્માના સવાલોના જવાબ આપી રહ્યા હતા. જ્યારે તેમને બતાવવામાં આવ્યું કે, સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારે કર્ણાટકમાં અઢી-અઢી વર્ષ માટે સરકાર ચલાવવાનો નિર્ણય લીધો છે તો હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, મને નથી લાગતું કે તેઓ એમ કરી શકશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી બાદ સરકાર નિશ્ચિત રૂપે પડી જવાની છે.

જુઓ કર્ણાટકમાં તો તેમણે સારી વ્યવસ્થા કરી લીધી. સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર બંને અઢી-અઢી વર્ષ? તેના પર સરમાએ કહ્યું કે, તમને ખબર છે કે આ સરકાર અઢી વર્ષ સુધી ચાલશે? શું આ સરકાર લોકસભાની ચૂંટણી બાદ બચી શકશે? હિમત બિસ્વા સરમાએ ભવિષ્યવાણી કરી કે ભાજપ આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં 300 કરતા વધુ સીટો જીતશે. તેમણે કહ્યું કે, ભારત પોતાના ઇતિહાસના સૌથી સારા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.

લોકો પોતાના પાછલા વારસા અને 6,000 વર્ષ જૂની સભ્યતા પર ગર્વ અનુભવે છે. તેઓ સામંતી માનસિકતાવાળા ગાંધી પરિવારથી છૂટકારો ઈચ્છે છે. મોદીએ ભારતના લોકોની માનસિકતામાં એક મોટો બદલાવ કર્યો છે. શું તેઓ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી ઉગ્ર હિન્દુત્વની વકીલાત કરવામાં એક-બીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે? એમ પૂછવામાં આવતા સરમાએ કહ્યું કે, હું એક નાના રાજ્યમાંથી આવું છું. કૃપયા એક સફરજન અને સંતરાની તુલના ન કરો.

આસામને લઈને મારા કેટલાક સપના છે અને હું તેમને પૂરા કરવા જઈ રહ્યો છું. હિમંત બિસ્વા સરમાએ ખુલાસો કર્યો કે, રાહુલ ગાંધી સાથે મીટિંગમાં એવું શું થયું કે પછી તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા. મેં સાંભળ્યું છે કે, તમે રાહુલ ગાંધીને મળવા ગયા તો તેમણે તમારાથી વધારે કૂતરા પર ધ્યાન આપ્યું. તેના પર હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, સ્ટોરીને થોડી સારી કરવી પડશે. રાહુલ ગાંધીએ અમને બોલાવ્યા, મને ન બોલાવ્યો. કોને બોલાવ્યા? તો ગોગોઈને બોલાવ્યા.

કોને બોલાવ્યા? C.P. જોશીને બોલાવ્યા જે અત્યારે રાજસ્થાન વિધાનસભાના સ્પીકર છે. મને બોલાવ્યો અને સાથે આસામના PCC અધ્યક્ષ અંજન દત્તાને બોલાવ્યા. અમે રૂમમાં ગયા. વાતચીત શરૂ થયાની 5 મિનિટ બાદ તેમનો કૂતરો આવ્યો અને જ્યાં અમારા ટેબલ પર ચા અને બિસ્કિટ રાખી હતી, તેને કૂતરો પણ ખાવા લાગ્યો. ત્યારે મેં ત્રણેયને જોયા. ત્રણેય આરામથી ખાઈ રહ્યા હતા, એ જ ટેબલથી. હું તો પહેલી વખત ગયો હતો. મને લાગ્યું કે, તેમને ત્યાં કલ્ચર જ છે કૂતરા સાથે ખાવાનું. મેં કહ્યું તેમાં તો હું નહીં હોય શકું. હું એવી રીતે નહીં ખાઈ શકું. એટલે મેં કહ્યું હવે બીજી વખત નહીં આવું. ત્યારબાદ રાહુલે એ જ કૂતરા સાથે એક વીડિયો નાખ્યો? તેનો જવાબ આપતા સરમાએ કહ્યું ‘હા એ જ કૂતરો હતો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.