જેમની પોતાની ગેરંટી નથી, એવા લોકોથી સાવધ રહેજો, PM મોદીનું વિપક્ષ પર નિશાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મધ્ય પ્રદેશના શહડોલ પહોંચીને એક જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે વિપક્ષ પર નિશાન સાધી દીધુ હતું. તેમણે કહ્યું કે, નકલી ગેરંટીવાળા લોકોથી સાવધાન રહેજો. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જેમની પોતાની ગેરંટી નથી એવા લોકો મફતની ગેરંટી આપીને જાય છે અને પછી સુવિધાઓ મોંઘી કરી નાંખે છે. નકલી ગેરંટી આપવાવાળાઓનું હમેંશા આદિવાસીઓ વિરુદ્ધનું વલણ રહ્યું છે, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિપક્ષની એકતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ તમામ ભ્રષ્ટાચારી અને પરિવાર વાદી લોકો હવે એકસાથે આવી ગયા છે. હવે તમે આ તમામ લોકોને એક મંચ પર એકસાથે જોઈ શકશો જેઓ જામીન પર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્ય પ્રદેશના શહડોલમાં એક જાહેરસભાને સંબોધતા કહ્યું કે, અમારા માટે આદિવાસી એ માત્ર મતદાતા નથી.તેમણે કહ્યું કે હું રાણી દુર્ગાવતીના ચરણોમાં મારી શ્રધ્ધાંજલિ અર્પિત કરુ છુ અને તેમની પ્રેરણાથી આજે સિકલ સેલ એનીમિયા મૂક્ત મિશન અભિયાનની શરૂઆત થઇ રહી છે.PM મોદીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં 1 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ સિકલ સેલ મૂક્તિ અભિયાનની શરૂઆત કરતા કહ્યું કે, આજે દેશ એક મોટો સંકલ્પ લઇ રહ્યો છે. આ આદિવાસી ભાઇ બહેનોના જીવન સુરક્ષિત કરવાનો સંકલ્પ છે. PM મોદીએ કહ્યું કે હું આદિવાસી લોકો વચ્ચે રહ્યો છુ. આ સિકલ સેલ એનીમિયાથી બચાવવાનો સંકલ્પ છે. દર વર્ષે સિકલ સેલ એનીમિયાની ચપટમાં ફસાતા 2.5 લાખ બાળકો અને તેમના પરિવારજનોના જીવન બચાવવાનો સંકલ્પ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સિકલ સેલ એનીમીયાએ કષ્ટદાયી બિમારી છે અને તે આખા પરિવારના માળાને વિખેરી નાંખે છે. આ બિમારી ન તો પાણીથી, ન તો હવાથી કે ન તો ભોજનથી ફેલાઇ છે.આ બિમારી આનુવંશિક છે, એટલે કે આ રોગ માતાપિતા તરફથી જ બાળકમાં આવે છે. આખી દુનિયામાં સિકલ સેલ એનિમિયાના અડધા કેસ એકલા આપણા દેશમાં છે. પરંતુ કમનસીબી છે કે છેલ્લા 70 વર્ષમાં તેની ક્યારેય ચિંતા નહોતી. તેના નિરાકરણ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ અમારી સરકારે હવે આદિવાસી સમાજના આ સૌથી મોટા પડકારને ઉકેલવાનું કામ હાથમાં લીધું છે. આપણા માટે આદિવાસી સમાજ માત્ર એક સરકારી આંકડા નથી,તે આપણા માટે સંવેદનશીલતાનો વિષય છે, ભાવનાત્મક બાબત છે.

તેમણે કહ્યું કે, જ્યારે હું ગુજરાતનો પહેલીવાર મુખ્યમંત્રી બન્યો તે પહેલાથી આ દિશામાં પ્રયાસ શરૂ કરી દીધા હતા અને એની સાથે જોડાયેલા અનેક અભિયાનો ચલાવ્યા હતા. અમારી સરકારનો પ્રયાસ છે કે બિમારી ઘટે અને સાથે બિમારી પર થતો  ખર્ચ પણ ઘટે. અમે એક અલગ આદિવાસી મંત્રાલય બનાવીને તેને પ્રાથમિકતા આપી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.