સાવરકરને ભારત રત્ન, નોકરીમાં 80 ટકા કોટા, શિંદે જુથની પહેલી કાર્યકારિણી મળી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે હોટલ તાજ ખાતે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી હતી. જેમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો પ્રસ્તાવ સહિત અનેક મહત્વની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના તમામ પ્રોજેક્ટમાં સ્થાનિક યુવાનોને 80 ટકા રોજગારી આપવા, મરાઠી ભાષાને ભદ્ર ભાષાનો દરજ્જો આપવા માટેની દરખાસ્તો પણ લાવવામાં આવી હતી.

શિવસેનાનું નામ અને પાર્ટીનું ચૂંટણી ચિહ્ન મળ્યા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે હોટલ તાજમાં કાર્યકારિણીની પહેલી બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં અનેક મહત્ત્વની દરખાસ્તો કરવામાં આવી હતી. સૌથી પહેલા શિવસેનાના લોકસભા દળના નેતા અને સાસંદ રાહુલ શેવાલેએ વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. ઉપરાંત આ બેઠકમાં ચર્ચગેટ સ્ટેશનનું નામ બદલીને પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી ચિંતામનરાવ દેશમુખ કરવાની પણ દરખાસ્ત આવી હતી. આ ઉપરાંત રાજ્યના તમામ પ્રોજેક્ટસમાં સ્થાનિક યુવાનોને 80 ટકા રોજગારી, મરાઠી ભાષાને ભદ્ર ભાષાનો દરજ્જો આપવા અને UPSC અને MPSCમાં મરાઠી વિદ્યાર્થીઓને મજબુત સમર્થન આપવા જેવી અનેક દરખાસ્તો રજૂ થઇ હતી.

17 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચના નિર્ણય બાદ શિવસેનાનું નામ અને પક્ષનું ચિહ્ન ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું. તેના 78 પાનાના નિર્ણયમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે શિંદેના જૂથે વિધાનસભા ગૃહ તેમજ સંગઠનમાં બહુમતી દર્શાવી છે. કમિશન સમક્ષ, બંને પક્ષોએ તેમની પુષ્ટિ માટે પોતપોતાના દાવાઓ અને દસ્તાવેજો રજૂ કર્યા હતા.

એકનાથ શિંદે જૂથ પાસે કુલ 55 વિજેતા ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો છે જેઓ શિવસેનાની ટિકિટ પર જીત્યા છે. પાર્ટીના કુલ 47,82,440 મતોમાંથી, 76 ટકા એટલે કે 36,57,327 મત શિંદે જૂથ દ્વારા તેની તરફેણમાં રજૂ કરવામાં આવ્યા હતા. શિવસેના પર પારિવારિક વારસો તેમજ રાજકીય વારસો હોવાનો દાવો કરતા ઉદ્ધવ ઠાકરે જૂથ 15 ધારાસભ્યોમાંથી માત્ર 11,25,113 મતો અને કુલ 47,82,440 મતોના દસ્તાવેજી પુરાવા રજૂ કરી શક્યો હતો. મતલબ કે ઠાકરે જૂથને માત્ર 23.5 ટકા વોટ મળ્યા હતા. ઠાકરે જૂથને શિવસેનાના કુલ 55માંથી માત્ર 15 ધારાસભ્યોનું સમર્થન હતું.

ચૂંટણી પંચના ચુકાદા પછી ઉદ્ધવ ઠાકરે ગ્રુપે પહેલા તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાની વાત કરી હતી, પરંતુ ચૂંટણી પંચે આપેલા મશાલ ચિહ્ન સાથે ચૂંટણી લડવાનું સ્વીકારી લીધું હતું.

શિવસેનાથી છુટા પડેલા એકનાથ શિંદેએ ભાજપના સહયોગથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવેલી છે અને તેઓ અત્યારે મુખ્યમંત્રી છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.