ગુલામ નબી આઝાદ અને BJP નેતાઓના ઘરની વીજળી કાપી નંખાઈ, આ છે કારણ

જમ્મુ-કાશ્મીર પ્રશાસને બાકી બિલ જમા ન કરાવવા પર પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક આઝાદ પ્રોગ્રેસિવ પાર્ટી (DAPP)ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ-કાશ્મીરના અધ્યક્ષ રવીન્દ્ર રૈના સહિત ઘણા બીજા લોકોના ઘરોની વીજળી સપ્લાઈ બંધ કરી દેવામાં આવી છે. જો કે, ગુલામ નબી આઝાદ સાથે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ તેમના નજીકના જાણકારોએ તેની પુષ્ટિ કરી કે, શનિવારે સાંજે તેમના ઘરની વીજળી કાપી દેવામાં આવી હતી. જ્યારે રવીન્દ્ર રૈનાએ કહ્યું કે, તેઓ નિયમિત રૂપે પોતાના વીજળીના બિલો જમા કરાવી રહ્યા છે.

જમ્મુ કશ્મીરના ભાજપ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ ફોન પર જણાવ્યું કે, તેઓ આ સમયે રાજૌરીમાં છે અને જમ્મુ ફર્યા બાદ વીજળી કાપવાના કારણોની જાણકારી મેળવશે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, ગુલામ નબી આઝાદ અને રવીન્દ્ર રૈના સિવાય એક અન્ય મુખ્ય નેતા નીલમ લંગેહના ઘરની વીજળીનું બિલ પણ જમા કરાવવામાં આવ્યું ન હોવાની વીજળી કાપી દેવામાં આવી છે. નીલમ લંગેહ ભાજપના નેતા અને રામબન સીટથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ ત્રણેય નેતા જમ્મુ શહેરના એક સંપન્ન વિસ્તાર ગાંધી નગરમાં સરકારી આવાસમાં રહે છે. હાલના સમયમાં રવીન્દ્ર રૈના સરકારી આવાસ ગાંધીનગર 14Aમાં, નીલમ લંગેહ ગાંધીનગર, જ્યારે ગુલામ નબી આઝાદ નંબર-1 ગાંધીનગરમાં રહે છે. વીજળી વિભાગના જણાવ્યા મુજબ ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ નેતાઓને નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. તેમાં 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ અવધિમાં કશું જ ન થયું.

વીજળી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, તેમની બાકી રકમ 2 લાખ રૂપિયાથી વધુ થઈ ગઇ હતી. એટલે તેમના ઘરોની વીજળી કાપી દેવામાં આવી. તેની સાથે જ આખા દેશમાં ચાલનારી એક મુખ્ય રેસ્ટોરાં શૃંખલાના ગાંધીનગર આઉટલેટનો વીજળી પુરવઠો પણ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે. વીજળી વિભાગે કહ્યું કે, જમ્મુની વાલ્મીકિ કોલોનીમાં રહેતા ઘરોની વીજ સપ્લાઈ પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યાંનાં લોકોની અંગત બાકી 2 લાખ રૂપિયાથી વધુ થઈ ગયું હતું.

આ કોલોનીના રહેવાસીઓને પાડોશી રાજ્ય પંજાબથી લાવવામાં આવ્યા હતા અને ઘણા દશક અગાઉ જમ્મુમાં વસી ગયા હતા. વાલ્મીકિ કોલોનીના રહેવાસીઓએ દાવો કર્યો કે, તેમને તાત્કાલીન રાજ્ય સરકારે એ વાયદા સાથે અહીં વસાવ્યા હતા કે તેમને સ્વચ્છતાના કામના બદલે બધી સુવિધાઓ મફત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2022માં જમ્મુ-કાશ્મીર પ્રશાસને બાકી ચૂકવણી ન કરવાના કારણે ઘરેલુ વીજ ઉપભોક્તાઓના તેમના વીજ બિલો પર વ્યાજમાં માફીની જાહેરાત કરી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.