રાષ્ટ્રપતિના સંસદમાં પહેલા ભાષણની શશિ થરૂરે કરી ટીકા-કહ્યું આ તો ભાજપ...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ પર કોંગ્રેસે BJP પર નિશાનો સાધ્યો છે. સાંસદ શશિ થરૂરે કહ્યું કે, BJP રાષ્ટ્રપતિના માધ્યમથી ચૂંટણી વાયદા લેવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે મંગળવાર (31 જાન્યુઆરી)એ કહ્યું, રાષ્ટ્રપતિ ચૂંટણી નથી લડતા પરંતુ એવુ લાગી રહ્યું હતું કે, BJP સરકાર પોતાના આવનારા ચૂંટણી અભિયાન તેમના માધ્યમથી ચલાવી રહી છે. સમગ્ર ભાષણ એક ચૂંટણી ભાષણ લાગી રહ્યું હતું. તેઓ સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક કામોની પ્રશંસા કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આપણે તેને માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને જવાબદાર ના કહી શકીએ કારણ કે, ભાષણ હાલની કેન્દ્ર સરકારે લખ્યું હતું. તેમણે સાથે જ કહ્યું કે, તેઓ એ બાબતોને છોડી રહ્યા હતા જેમા સરકારનું પ્રદર્શન સારું નથી રહ્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બજેટ સત્રના પહેલા દિવસે સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા પોતાના પહેલા અભિભાષણમાં કહ્યું, દેશની એ વિચારધારાને બદલવાની છે જે પ્રગતિ અને પ્રકૃતિને પરસ્પર વિરોધી માનતી હતી. સરકાર વિકાસને ગતિ આપવાની સાથે હરિત વૃદ્ધિ પર ધ્યાન આપી રહી છે અને સમગ્ર વિશ્વને મિશન લાઈફ સાથે જોડવા પર ભાર આપી રહી છે. પોતાના અભિભાષણમાં તેમણે કહ્યું કે, ભારતમાં મજબૂત ઈચ્છાશક્તિવાળી સરકાર છે, જે ડર્યા વિના કામ કરી રહી છે. સાથે જ તેમણે સર્જિકલ સ્ટ્રાઈક, આતંકવાદ પર કડકાઈ, આર્ટિકલ 370 અને ટ્રિપલ તલાકનો પણ ઉલ્લેખ કર્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે, સરકાર દેશના વિકાસ માટે જે ગતિ અને પરિમાણો પર કામ કરી રહી છે, તે અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું કે, દેશને વિશ્વનું સૌથી પ્રતિસ્પર્ધી લોજિસ્ટિક કેન્દ્ર બનાવવા માટે સરકાર કામ કરી રહી છે. તેના માટે ગત વર્ષે દેશમાં રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ લાગૂ કરવામાં આવી છે. આ નીતિના લાગૂ થવાથી લોજિસ્ટિક સાથે સંકળાયેલા ખર્ચામાં ખૂબ જ ઘટાડો આવશે. જણાવી દઈએ કે, નાણા મંત્રી નિર્મલા સીતારમન બુધવાર (1 ફેબ્રુઆરી)ના રોજ બજેટ રજૂ કરશે. સીતારમનનું આ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ હશે.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, રાષ્ટ્રપતિનું અભિભાષણ દર્શાવે છે કે સરકાર શું ઈચ્છે છે અને શું કરે છે. સ્વાભાવિકરીતે જ રાષ્ટ્રપતિ સરકારનું નિવેદન પ્રસ્તુત કરે છે. છતા અમે રાષ્ટ્રપતિના અભિભાષણનું સન્માન કરીએ છીએ. જ્યારે સદનમાં તેના પર ચર્ચા થશે, ત્યારે અમે પોતાના વિચારો રજૂ કરીશું.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.