ઑક્સિજન સિલિન્ડર લગાવીને પહોંચ્યા દિલ્હી BJPના ધારાસભ્ય, સ્પીકરે ગણાવ્યા હથિયાર

દિલ્હી વિધાનસભાનું સોમવારથી 3 દિવસીય સત્ર શરૂ થયું છે. આશંકા મુજબ, સત્રની શરૂઆત હોબાળા સાથે થઇ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ઓક્સિજન સિલિન્ડર અને માસ્ક પહેરીને સદનમાં પહોંચ્યા. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે તેના પર આપત્તિ જાહેર કરતા માર્શલને બોલાવ્યા અને તેમને બહાર લઇ જવા માટે કહ્યું. તેમણે કહ્યું કે, ‘તેનો ઉપયોગ માથું ફોડવા પણ થઇ શકે છે. ભાજપના ધારાસભ્યોએ સિલિન્ડર સાથે માસ્ક અને ગળામાં પ્લેકાર્ડ પણ લટકાવી રાખ્યા હતા.

ભાજપના ધારાસભ્યોએ પ્રદૂષણ તરફ ધ્યાન ખેચવા માટે આ રીત અપનાવી હતી. ધારાસભ્યોનાં ગળામાં લટકેલા પ્લેકાર્ડ પર લખ્યું હતું કે, ‘ઝેરી હવથી મરી રહ્યા છે દિલ્હીના લોકો, કેજરીવાલ શરમ કરો, રાજીનામું આપો, રાજીનામું આપો.’ વિજેન્દર ગુપ્તાએ ટ્વીટ કરી કે, ‘ઓક્સિજન સિલિન્ડર સાથે તેમણે દિલ્હીની 2 કરોડ જનતાનો અવાજ ઉઠાવ્યો, જે ગેસ ચેમ્બરમાં રહેવા મજબૂર છે. આમ આદમી પાર્ટીની સરકારે એ બતાવવું જોઇએ કે દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે તેમણે શું કર્યું.’

સદનની કાર્યવાહી શરૂ થતા જ સ્પીકર રામ નિવાસ ગોયલે સિલિન્ડર પર આપત્તિ દર્શાવી. તેમણે સવાલ કર્યો કે, ‘સિક્યૉરિટીએ તેને અંદર લાવવાની મંજૂરી કેમ આપી? તેમણે દિવસની કાર્યવાહી સમાપ્ત થયા બાદ તેનો જવાબ આપવા કહ્યું છે. સ્પીકરે તેને હથિયાર બતાવતા કહ્યું કે, તેનો ઉપયોગ કોઇનું માથું ફોડવા માટે પણ થઇ શકે છે. તેમણે માર્શલ બોલાવ્યા અને સિલિન્ડર બહાર કરવા કહ્યું.

સદનની કાર્યવાહી શરૂ થયા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોએ ફરી એક વખત ઉપરાજ્યપાલ વિરુદ્ધ મોરચો ખોલી દીધો. ઉપરાજ્યપાલ પર દિલ્હીવાસીઓના કામ રોકવાનો આરોપ લગાવતા તેમની વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી. ધારાસભ્ય વેલમાં એકત્રિત થઇ ગયા અને નારેબાજી કરવા લાગ્યા. સદનની કાર્યવાહીને 10 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવી. કાર્યવાહી શરૂ થયા બાદ પણ હોબાળો યથાવત રહ્યો અને અડધા કલાક માટે કાર્યવાહી ટાળી દેવામાં આવી.

એક અખબારના રિપોર્ટ મુજબ, આ સત્રમાં પ્રશ્નકાળ નહીં થાય, તેને લઇને પણ વિપક્ષ હોબાળો કરવાનું મન બનાવી રહ્યું છે. દિલ્હી વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ રામવીર સિંહ બિધુડીનું કહેવું છે કે, તે જાણીજોઇને કરવામાં આવી રહ્યું છે. અમે લોકો તેને લઇને વિધાનસભામાં વિરોધ નોંધાવીશું. બીજી તરફ વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલનું કહેવું છે કે પ્રશ્નકાળ માટે સવાલ કરવા માટે એક સમય નિર્ધારિત છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.