'મેં ખુંટો નાખી દીધો તો PM મોદી પણ નહીં હલાવી શકશે': BJP નેતા ઓમ માથુર

પૂર્વ રાજ્યસભા સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય નેતા ઓમ માથુરના નિવેદનને લઈને હાલ વિવાદ ઊભો થઈ ગયો છે. ઓમ માથુરે કહ્યું કે, 'મેં ખુંટો નાખી દીધો તો PM મોદી પણ તેને હલાવી નહીં શકશે. મારા માણસની ટિકિટ વડા પ્રધાન પણ નહીં કાપી શકે.' તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

ઓમ માથુર અજમેરની નજીક પરબતસર વિધાનસભા ક્ષેત્રમાં જન આક્રોશ રેલીને લઈને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ઓમ માથુરે કહ્યું હતું કે, 'જે વ્યક્તિની ટિકિટ મેં ફાઈનલ કરી દીધી, તેની PM મોદી પણ ટિકિટ નહીં કાપી શકે. મેં જ્યાં ખુંટો નાખી દઉં છું, તેના પછી તેને કોઈ નથી હલાવી શકતું.'

ઓમ માથુર આટલું કહીને નહીં અટક્યા, વધુમાં તેમણે એમ પણ કહ્યું કે 'ભલે લિસ્ટ જયપુરથી જાય કે દિલ્હીથી, હું ખુંટો નાખી દઉં પછી તેને કોઈ નથી હલાવી શકતું. કોઈ ગેરસમજ નહીં રાખતા, હવે તો હું કેન્દ્રીય ચૂંટણી સમિતિનો સભ્ય છું. જયપુરથી જે લિસ્ટ મોકલ્યું, તે ધ્યાનમાં રાખું છું. ગેરસમજ નહીં રાખતા અને પાલીવાળા તો નહીં જ રાખતા.'

ઓમ માથુરના આ નિવેદનને લઈને ભાજપના યુવા કાર્યકરોમાં રોષ ઊભો થઈ ગયો છે. ઓમ માથુરનું જાહેરમાં સ્ટેજ પરથી આ રીતનું નિવેદન આપવાને કારણે તેનો સખત વિરોધ પણ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેને PM મોદીનું અપમાન પણ માની રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, રાજસ્થાન ભાજપમાં CM ફેસને લઈને હંગામો ચાલી રહ્યો છે. હાલમાં ઓમ માથુર કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય છે અને તેઓ સતત નિવેદનો પણ આપી રહ્યા છે. હાલમાં જ તેમણે જયપુરમાં CM પદને લઈને અનેક નિવેદનો આપ્યા છે. માથુરને વસુંધરા રાજેના કટ્ટર વિરોધી માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.