BJP નેતાએ પોતાની દીકરીના મુસ્લિમ યુવક સાથે લગ્ન અટકાવી દીધા, કારણ, જાણો

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લગ્નનો આમંત્રણ કાર્ડ વાયરલ થયો હતો. આ આમંત્રણ કાર્ડ ઉત્તરાખંડના ભાજપ નેતાની પુત્રીના લગ્નનું હતું. આ કાર્ડ માત્ર વાયરલ જ ન થયું પરંતુ એની પર મોટી બબાલ પણ ઉભી થઇ હતી. બબાલનું કારણ એ હતું કે ભાજપ નેતા યશપાલ બેનામની દીકરીના એક મુસ્લિમ યુવક સાથે લગ્ન નક્કી થયા હતા. આ વાત પર ભાજપ નેતા અને પાર્ટીને જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી હતી. લગ્ન 28 મેના દિવસે નિર્ધારિત હતા, પરંતુ બબાલ થવાને કારણે અત્યારે આ લગ્ન અટકાવી દેવામાં આવ્યા છે. કારણ ખરેખર ગુસ્સો આવે તેવું છે. જ્યારે બંને પરિવારો સંમતિથી લગ્ન કરવા માટે તૈયાર થયા છે તો તેમાં લોકોને કે રાજકરાણને શું લેવા દેવાં

યશપાલ બેનામે શનિવારે જાણકારી આપી હતી કે તેમની દીકરીના 26, 27 અને 28 મેના દિવસે નક્કી કરાયેલા વૈવાહિક કાર્યક્રમ નહીં થશે. ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ ભાજપ નેતા યશપાલે કહ્યું હતું કે તેઓ પોતાની દીકરીની ખુશી માટે મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાવવા માટે તૈયાર થઇ ગયા હતા. તેમણે કહ્યુ કે  જે પ્રમાણે માહોલ બનાવવામાં આવ્યો છે એ જોતા બંને પરિવારોએ બેઠક કરીને આ નિર્ણય લીધો છે કે એક જનપ્રતિનિધી હોવાને કારણે પોલીસ સુરક્ષા હેઠળ લગ્ન કરવાવા શોભા નહીં આપે. માહોલ અનુકુળ નહીં હોવાને કારણે અને લોકોને ધ્યાનમાં રાખીને બંને પરિવારે સંમતિથી એવું નક્કી કર્યું છે કે 26,27 અને 28ના શુભપ્રસંગો યોજવામાં નહીં આવે.

આજતકના એક રિપોર્ટ મુજબ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના પૌડીના જિલ્લાધ્યક્ષ દીપક ગૌડે આ લગ્ન ખોટા હોવાનું બતાવીને કહ્યું હતું કે, યશપાલ બેનામની પુત્રીએ ક્યાં તો ઇસ્લામ ધર્મ કબુલ કરી લેવો જોઇએ અથવા તેમના થનારા જમાઇએ હિંદુ ધર્મ અપનાવી લેવો જોઇએ.

ભાજપ નેતા અને પૌડી નગર પાલિકાના પ્રમુખ યશપાલ બેનામની દીકરી મોનિકાના અમેઠીમાં રહેતા મોનિસ સાથે લગ્ન નક્કી થયા હતા. મોનિકા સંગ મોનિસના લગ્નનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયું. અનેક લોકોએ ભાજપ નેતાને તેમના આ નિર્ણય સામે ઘેરાવો કર્યો હતો.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા હિંદુવાદી સંગઠનોએ ભાજપ નેતાનો વિરોધ શરૂ કર્યો હતો.19 મેના દિવસે પૌડીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને યશપાલ બેનામનું પુતળું બાળવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ નહીં કરવાનું નક્કી કરવામાં આવ્યું.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.