રામમંદિરના ઉદ્ઘાટન પછી થશે ગોધરા પાર્ટ ટુ, ઉદ્ધવના નિવેદનનો ભાજપે આપ્યો જવાબ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ‘ગોધરા પાર્ટ 2’વાળા નિવેદન પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ખબર નહીં બાળાસાહેબે શું વિચાર્યું હશે. સત્તાની લાલચમાં ઉદ્ધવ ઠાકરે આજે શું કરી રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રામ મંદિરનાં ઉદ્વઘાટન બાદ ગોધરા જેવી ઘટના થઈ શકે છે.

ઉદ્ધવ ઠાકરેનો દાવો હતો કે ‘રામ મંદિરના ઉદ્વઘાટન બાદ બની શકે છે ગોધરા જેવી ઘટના’ શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્વઘાટન માટે સરકાર બસો અને ટ્રકોમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે છે, પરંતુ જ્યારે આ લોકો પાછા ફરશે તો ગોધરા જેવી ઘટના થઈ શકે છે. જલગાંવમાં ઠાકરેએ કહ્યું કે, એવી સંભાવના છે કે સરકાર રામ મંદિરના ઉદ્વઘાટન માટે બસો અને ટ્રકોમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે છે અને તેમની વાપસી યાત્રા પર ગોધરા જેવી ઘટના થઈ શકે છે.

રામ મંદિરનું ઉદ્વઘાટન લોકસભાની ચૂંટણીના થોડા મહિના અગાઉ જાન્યુઆરી 2024માં થવાની સંભાવના છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ-RSSની નિંદા કરતા કહ્યું હતું કે, તેમની પાસે એવા પ્રતિક નથી, જેમને લોકો પોતાના આદર્શ માને. તેની જગ્યાએ સરદાર પટેલ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવા દિગ્ગજોને અપનાવી રહ્યા છે. તેઓ (ભાજપ, RSS) તેમના પિતા બાળાસાહેબ ઠાકરેના વારસા પર દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભાજપ અને RSSની પોતાની કોઈ ઉપલબ્ધિઓ નથી. સરદાર પટેલની પ્રતિમા (ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી 182 મીટર ઊંચી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે)નો આકાર મહત્ત્વ ધરાવતો નથી, પરંતુ તેમની ઉપલબ્ધિઓ મહત્ત્વ ધરાવે છે. આ લોકો સરદાર પટેલની મહાનતા હાંસલ કરવા નજીક પણ નથી. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં સવાર થઈને અયોધ્યાથી ફરી રહેલા કાર સેવકો પર ગુજરાતના ગોધરા સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના કોચોમાં આગ લગાવી દેવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થઈ ગયા હતા.

આ ઘટના બાદ આખા દેશમાં મોટા પ્રમાણમાં દંગા ભડકી ઉઠ્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું કે, સત્તાની લાલચમાં કેટલાક લોકો પોતાની પાર્ટીની વિચારધારા ભૂલી ગયા છે. શિવસેનાના દિવંગત સ્થાપક અને ઉદ્ધવ ઠાકરેના પિતા બાળાસાહેબે આજે શું વિચાર્યું હશે અને સત્તાની લાલચમાં ઉદ્ધવ જી આજે શું કરી રહ્યા છે. અનુરાગ ઠાકુરે ઉદયનિધિના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેના મૌનને લઈને પણ પ્રહાર કર્યો.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.