મધ્ય પ્રદેશમાં ભાજપનું ગુજરાત મોડલ નિષ્ફળ, જાણો પાર્ટી શું ભૂલ કરી રહી છે

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપ-કોંગ્રેસ સત્તા મેળવવા માટે જોર લગાવી રહી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે ભાજપે આ વખતે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં એવા દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ પોતે ચૂંટણી લડવા માંગતા નથી. ભાજપે આવું શું કામ કર્યું તેના વિશે અલગ-અલગ લોકોનો અલગ-અલગ મંતવ્યો છે. જૂના અનુભવાને આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે જમીન પર વાસ્તવિક ચિત્ર ખરાબ હોવાને કારણે ભાજપ પોતાના મોટા માથાઓને મેદાનમાં ઉતારી રહી છે.

જો કે કેટલાંક લોકોને એવી શંકા છે કે આને કારણે ભાજપને ફાયદો થવાને બદલે નુકશાન થવાની સંભાવના વધારે છે. કેટલાંક લોકોનું એવું માનવું છે કે આ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને નબળા પાડવા માટેનો પ્રયાસ છે. પરંતુ લાંબા સમયથી મુખ્યમંત્રી રહેલા શિવરાજ સિંહની શક્તિનું અવમૂલ્યાંકન કરવું પાર્ટીને મોટું નુકશાન પહોંચાડી શકે છે. મુખ્યમંત્રી ચૌહાણને હજુ પણ લોકોનું સમર્થન હાંસલ છે.

રાજકારણના જાણકારોએ ક્હયું કે, મધ્ય પ્રદેશમાં ભાજપના ચૂંટણી પોસ્ટરોમાં એટલા બધા ઉમેદવારોનો ફોટા દેખાઇ છે જે રાવણના માથા જેવા લાગે છે. ચૂંટણી લડવાની ઇચ્છા નહીં રાખનારાઓમાં 7 સાંસદ છે જેમાંથી 3 મંત્રી છે અને એક માર્ટીના મહાસચિવ સામેલ છે. સ્વાભાવિક રીતે આ ધૂંરધરો એટલા માટે ચૂંટણી નથી લડવા માંગતા કે તેમને એવું લાગે છે કે તેમનું ડિમોશન થઇ રહ્યું છે. મધ્ય પ્રદેશના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય એક માત્ર એવા નેતા છે જેમણે જાહેરમાં સ્વીકાર કર્યો કે પોતે ચૂંટણી લડવા માંગતા નથી, ખાસ કરીને જ્યારે તેમનો પુત્ર વિધાનસભાની ટિકીટની અપેક્ષા રાખી રહ્યો છે.

એનો મતલબ એ થયો કે એ લોકોમાં તો નારાજગી છે જ જેમની પાસે ટિકીટ છે, પરંતુ એ લોકો પણ નારાજ છે જેઓ ટિકિટ તો મેળવવા માંગે છે, પરંતુ કેન્દ્રીય નેતાઓને ટિકિટ મળવાથી તેઓ વંચિત રહી ગયા છે.

જાણકારોનું કહેવું છે કે મધ્ય પ્રદેશમાં ભાજપના આ પગલાનું ખરુ કારણ એ છે કે હાઇકમાન્ડનું માનવું છે કે મધ્ય પ્રદેશમાં પણ ગુજરાત મોડલને અનુસરવામાં આવે. ગુજરાત વિધાનસભાની ચૂટંણી પહેલા ભાજપ હાઇકમાન્ડે કોઇ પણ જાતના ખચકાટ વગર જૂના ચહેરાને બદલે નવા ચહેરાને યુવાન પેઢીને ટિકીટ આપી હતી અને તેમાં ભાજપને સફળતા પણ મળી. પાર્ટીએ ગુજરાતમાં ફરી સરકાર બનાવી.

પરંતુ મધ્ય પ્રદેશ એ ગુજરાત નથી. મઘ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લડનારા ભાજપના દિગ્ગજ નેતાઓની કારકિર્દી પુરી થવાની પુરી સંભાવના છે. ભલે પછી તેઓ વિધાનસભા જીતે કે હારે. મધ્ય પ્રદેશમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના મૂળિયા ઘણા ઉંડા છે. જૂના ચહેરા બદલીને યુવા પેઢીને તક આપવાનું ગુજરાતનું મોડલ મધ્ય પ્રદેશમાં સફળ થવાનું નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.