ભાજપના ધારાસભ્ય જન્મેજય સિંહનું હાર્ટ એટેકથી નિધન

ઉત્તર પ્રદેશમાં દેવરિયાથી BJP ધારાસભ્ય જન્મેજય સિંહનું ગત રાત્રે હાર્ટ એટેકના કરણે 75 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. અત્યારસુધીમાં મળેલી માહિતી અનુસાર, ગુરુવારે મોડી રાત્રે આશરે 12.30 વાગ્યે લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમનું નિધન થયું. જન્મેજય સિંહના ગુજરાતી દેવી સાથે લગ્ન થયા હતા. તેમના ત્રણ દીકરા અને ચાર દીકરીઓ છે. તેમણે ચંદ્રશેખર આઝાદ ઈન્ટર કોલેજ, દેવરિયામાંથી હાઈસ્કૂલની ડિગ્રી મેળવી હતી. જન્મેજય સિંહની રાત્રે લખનૌ સ્થિત આવાસ પર તબિયત ખરાબ થતા તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી ડૉક્ટરોએ તેમને લોહિયા હોસ્પિટલમાં રેફર કરી દીધા. લોહિયા હોસ્પિટલના પ્રવક્તા અને એમએસ ડૉ. વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, પેસ મેકર લગાવવા દરમિયાન જ તેમનું મોત થઈ ગયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ પહેલા સિવિલ હોસ્પિટલમાં તેમનો કોરોના સંક્રમણનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જન્મેજય સિંહ બેવાર ધારાસભ્ય રહ્યા છે. 2012થી તેમણે BJPના સભ્ય તરીકે દેવરિયા નિર્વાચન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીની 16મી વિધાનસભાના પહેલા કાર્યકાળમાં તેમણે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્રમોદ સિંહને 23295 વોટના અંતરથી હરાવ્યા હતા. જન્મેજય સિંહે 2017ના વર્ષમાં પોતાના બીજા કાર્યકાળમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જે. પી. જયસ્વાલને 46236 વોટોના અંતરથી હરાવ્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે BJP ધારાસભ્યના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. CMએ ટ્વીટ કરીને કહ્યું કે, દેવરિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જન્મેજય સિંહના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને શોક થયો. સિંહના નિધનથી પાર્ટીએ એક સમર્પિત કાર્યકર્તા અને જનતાએ પોતાના સાચા હિતૈષીને ગુમાવ્યા છે. પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે, તેમની આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ જન્મેજય સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સપા પ્રમુખે ટ્વીટ કરીને કહ્યું કે, દેવરિયા સીટ પરથી BJP ધારાસભ્ય જન્મેજય સિંહજીનું નિધન અત્યંત દુઃખદ! દિવંગત આત્માને શાંતિ તેમજ શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન.

જન્મેજય સિંહના નિધનના સમાચાર મળતા જ તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. શુક્રવારની સવારથી જ મોટી સંખ્યામાં BJP કાર્યકર્તા અને સમર્થક તેમના આવાસ પર પહોંચી ગયા. લોકો સોશિયલ મીડિયા પર પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. થોડીવાર પહેલા ધારાસભ્યનો પાર્થિવ દેહ દેવરિયા સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચ્યો. જ્યાં તેમના સમર્થકો અને શુભચિંતકોની ભારે ભીડ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.