કોંગ્રેસ નેતા કહે- PMને ચંદ્ર સપાટીનું નામ રાખવાનો અધિકાર કોણે આપ્યો? વિશ્વ હસશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગ્રીસ પ્રવાસ પરથી ફર્યા બાદ બેંગ્લોરમાં ISROના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરીને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલીક મહત્ત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, ચંદ્રની જે સપાટી પર ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ઉતર્યું છે, તેનું નામ હવે શિવશક્તિ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાતથી કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે, આપણે એ લેન્ડિંગ પોઇન્ટના માલિક નથી જે નામ રાખી દઈએ.

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રાશિદ અલ્વીએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીજીને એ અધિકાર કોણે આપ્યો કે તેઓ ચંદ્રમાની સપાટીનું નામ રાખે? એ હાસ્યાસ્પદ છે. આ નામકરણ બાદ આખું વિશ્વ આપણને હસશે. ચંદ્રમાની એ જગ્યા પર લેન્ડિંગ થઈ એ ખૂબ સારી વાત છે અને તેના પર આપણને ગર્વ છે, જેના પર કોઈને શંકા ન હોવી જોઈએ, પરંતુ આપણે ચંદ્રના માલિક નથી, એ લેન્ડિંગ પોઇન્ટના માલિક નથી. એમ કરવું ભાજપની આદત રહી છે. જ્યાથી તેઓ સત્તામાં આવ્યા છે નામ બદલવાની તેમની આદત રહી છે.

જ્યારે તમને પૂછવામાં આવ્યું કે, UPA શાસન દરમિયાન ચંદ્રયાન-1ની લેન્ડિંગ થઈ હતી, તો તેનું નામ જવાહર પોઈન્ટ રાખવામાં આવ્યું હતું, પરંતુ ભાજપ કહી રહી છે કે વડાપ્રધાને લેન્ડિંગ પોઈન્ટનું નામ અટલ બિહારી વાજપેયી કે પોતાના નામ પર ન રાખ્યું. તમારી સરકારે જવાહર પોઈન્ટ નામ રાખ્યું હતું કે, તેનો જવાબ આપતા રશીદ અલ્વીએ કહ્યું કે, જવાહરલાલ નહરુની તુલના તમે નહીં કરી શકો. આજે ISRO જે પણ છે તે પંડિત જવાહરલાલ નહરુના કારણે છે. વર્ષ 1962માં પંડિત નેહરુ અને વિક્રમ સારાભાઈએ ISROનો પાયો રાખ્યો હતો.

તમે કહી શકો છો કે, પંડિત જવાહરલાલ નેહરુ તેના ફાઉન્ડર હતા, એ બિલકુલ અલગ વાત હતી, પરંતુ મોદીજી તેનું રાજનીતિકરણ કરી રહ્યા છે. આ અગાઉ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન માટે દેશ પહેલા આવે છે, જ્યારે કોંગ્રેસ માટે પરિવાર પહેલા આવે છે. ભાજપના પ્રવક્તા શાહજાદ પૂનાવાલાએ કહ્યું કે, જો UPA હોત તો તેનું નામ ગાંધી પરિવારના નામ પર થઈ જતું અને ચંદ્ર પર ઇન્દિરા પોઈન્ટ કે રાજીવ પોઇન્ટના નામની જાહેરાત થતી. ચંદ્રયાન-1ની જ્યાં લેન્ડિંગ થઈ હતી, કોંગ્રેસ સરકારે તેનું નામ જવાહર પોઈન્ટ રાખી દીધો.

આ અગાઉ બેંગ્લોરમાં ISRO વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે ત્યાં પહોંચ્યા, જ્યાં કોઈ પહોંચ્યું નહોતું. આપણે એ કર્યું જે પહેલા ક્યારેય કોઈએ કર્યું નથી. મારી આંખો સામે 23 ઑગસ્ટનો એ દિવસ, તે એક એક સેકન્ડ વારંવાર ફરી રહી છે. જ્યારે ટચ ડાઉન કન્ફર્મ થયું તો જે પ્રકારે અહી ISRO સેન્ટરમાં, આખા દેશમાં લોકો ઊછળી પડ્યા, તે દૃશ્ય કોણ ભૂલી શકે છે. કેટલીક સ્મૃતિઓ અમર રહી જાય છે. એ પળ અમર થઈ ગઈ. ચંદ્રમાના જે હિસ્સા પર આપણું ચંદ્રયાન ઉતર્યું છે, ભારતે એ સ્થળનું પણ નામકરણ કરવાનો નિર્ણય લીધો છે. જે સ્થળે ચંદ્રયાન-3નું મૂન લેન્ડર ઉતર્યું છે, હવે એ પોઉન્ટને ‘શિવશક્તિ’ના નામથી ઓળખાશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.