ભાજપે સંજય રાઉતને કહ્યા આધુનિક શકુની, જણાવ્યું કારણ

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારના રાજીનામાં બાદ જ મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે NCPના રાષ્ટ્રીય મહાસચિવ જિતેન્દ્ર આવ્હાડે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી પણ સતત નિવેદન સામે આવી રહ્યા છે. હવે ભાજપે સંજય રાઉતને પવાર પરિવારમાં ફૂટ પાડવા માટેના જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે, ઠાકરે પરિવારમાં પણ સંજય રાઉતે જ ફૂટ નાખી હતી.

ભારતીય જનતા પાર્ટીના નેતા નિતેશ રાણાએ કહ્યું કે, શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ જે સંજય રાઉતે ટ્વીટ કરી તે તેના પુરાવા છે કે, જે તેમનો એજન્ડા હતો તે પૂરો થઈ ગયો. તે શરદ પવારને મળવા પણ ન ગયા. માત્ર વાતો જ મોટી મોટી કરી રહ્યા હતા. અહી સુધી કે નિતેશ રાણાએ સંજય રાઉતને આધુનિક શકુની મામા પણ કહી દીધા. નિતેશ રાણાએ કહ્યું કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં શકુની મામાની એન્ટ્રી થઈ ગઈ છે. સંજય રાઉત આજના જમાનાના શકુની મામા છે. જે રાઉતનું કામ હતું તે તેમણે પૂરું કરી લીધું છે.

તેમણે આગળ કહ્યું કે, અજીત પવારને સતત ટારગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ જે કાલે જે થયું તે પણ બધાએ જોયું. એવી જ રીતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે પણ સંજય રાઉતે જ આગ લગાવવાનું કામ કર્યુ હતું. જ્યારે બધુ બરાબર હતું, એ છતા સંજય રાઉતે સતત અજીત પવાર વિરુદ્ધ નિવેદનબાજી કરી. એવી વાતો કહી જેથી ખોટો સંદેશ પાર્ટીના હાઇકમાન સુધી પહોંચે. સંજય રાઉતના નિવેદનોના કારણે હવે આટલું બધુ જોવું પડી રહ્યું છે. રાઉતની રોજી રોટી આવા કામોથી ચાલે છે.

શરદ પવાર દ્વારા રાજીનામું પાછું લેવા પર સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે ટ્વીટ કરી કે ‘એક સમય હતો જ્યારે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ પણ રાજનીતિના કારણે શિવસેના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. શરદ પવારે પણ એમ જ કર્યું છે, પરંતુ જનાક્રોશના કારણે બાળાસાહેબ ઠાકરેને પોતાનું રાજીનામું પાછું લેવું પડ્યું હતું. શરદ પવાર દેશની રાજનીતિ અને સામાજિક સરોકારની શ્વાસ છે.’

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.