ઓબામા પર સીતારમણનો પલટવાર, બોલ્યા-‘6 મુસ્લિમ દેશો પર બોમ્બ વરસાવનાર હવે..’

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતના મુસ્લિમો સાથે જોડાયેલા સવાલો અને તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબનો બચાવ કર્યો છે. તેમણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર ચૂંટણી હાર બાદ ડેટા વિના બિનજરૂરી મુદ્દા ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. નિર્મલા સીતારમણે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર પણ પ્રહાર કર્યો છે. તેમણે ભારતીય મુસ્લિમો પરની તેમની ટીપ્પણીઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેમના શાસનમાં અમેરિકા દ્વારા 6 મુસ્લિમ દેશો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે, ‘માનનીય વડાપ્રધાને પોતે અમેરિકામાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેમની સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સિદ્ધાંત પર કામ કરે છે. આ સરકાર કોઈ પણ સમુદાય સાથે ભેદભાવ કરતી નથી. એ તથ્ય છે, પરંતુ આ પ્રકારના બિનજરૂરી મુદ્દા ઉઠાવવા લાગે છે. દેશના વડાપ્રધાનના રૂપમાં તેમને આપવામાં આવેલા 13 એવોર્ડમાંથી 6 એ દેશોએ આપ્યા છે જ્યાં મુસ્લિમ બહુધા વસ્તી છે. કાયદા-વ્યવસ્થાને લઈને રાજ્ય સ્તર પર કેટલાક મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ ડેટા વિના જ માત્ર આરોપ લગાવવા છે, આ સંગઠિત અભિયાન છે.

વિપક્ષ પર પ્રહાર કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે, તેઓ ચૂંટણીની રીત પર ભારતીય જનતા પાર્ટી (BJP) કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો નહીં કરી શકે, એટલે આ અભિયાન ચલાવી રહ્યા છે અને તેમાં કોંગ્રેસની મોટી ભૂમિકા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના CNNને આપેલ ઇન્ટરવ્યૂને લઈને પણ પ્રહાર કર્યો. ઓબામાએ કહ્યું હતું કે, જો તેમની વાત ભારતીય વડાપ્રધાન સાથે થતી તો મુસ્લિમ લઘુમતીઓની સુરક્ષાનો ઉલ્લેખ કરતા.

તેના પર નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘હું હેરાન હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં અભિયાન ચલાવી રહ્યા હતા.. મારો અર્થ કે ભારત બાબતે બોલી રહ્યા હતા, ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ભારતીય મુસ્લિમો બાબતે બોલી રહ્યા હતા. હું એ વાત સંયમ સાથે કહી રહી છું કેમ કે તેમાં વધુ એક દેશ સામેલ છે. અમેરિકા સાથે મિત્રતા ઈચ્છીએ છીએ, પરંતુ ત્યાં પણ આપણને ધાર્મિક સ્વતંત્રતા બાબતે સંભળાય મળે છે.

એક પૂર્વ રાષ્ટ્રપતિ, જેમના શાસનમાં 6 મુસ્લિમ બહુધા દેશો પર બોમ્બમારો થયો, જ્યાં 26,000 કરતા વધુ બોમ્બ ફેકવામાં આવ્યા. હવે લોકો તેમના આરોપો પર કેવી રીતે ભરોસો કરશે? હું તેને આ દેશમાં માહોલ ખરાબ કરવાનો જાણીજોઇને કરવામાં આવી રહેલો પ્રયાસ માનું છું કેમ કે તેમને એમ લાગે છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસાત્મક નીતિઓ વિરુદ્ધ નહીં જીતી શકે.”

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.