નીતિન ગડકરીને જેલમાંથી આવ્યા ધમકીભર્યા ફોન, 100 કરોડ માગ્યા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ધમકીભર્યા કોલ કર્ણાટકની જેલમાંથી કરવામાં આવ્યા હતા. ગડકરીના નાગપુર કાર્યાલયમાં મળેલા ધમકી ભર્યા કોલથી સંબંધિત મામલામાં નાગપુર પોલીસે શનિવારે કોલરની ઓળખ કરી લીધી હતી. પોલીસે કહ્યું છે કે કોલરની ઓળખ જેલમાં બંધ અપરાધી જયેશ કાંતાના રૂપમાં થઈ છે, જે બેલગાવી જેલમાં બંધ છે. પોલીસે કહ્યું કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જેલમાંથી ધમકી આપવામાં આવી રહી હતી.

કોલ કરનારો એક કુખ્યાત ગેંગસ્ટર અને હત્યાનો આરોપી જયેશ કાંતા છે, જે કર્ણાટકની બેલગાવી જેલમાં સજા કાપી રહ્યો છે. તેણે જેલની અંદરથી ગેરકાયદેસર રીતે ફોનનો ઉપયોગ કરીને ગડકરીના કાર્યાલયમાં ધમકી આપી હતી. નાગપુરના પોલીસ આયુક્તે કહ્યું છે કે આગળની તપાસ માટે નાગપુર પોલીસની એક ટીમ બેલગાવી માટે રવાના થઈ ગઈ છે. જેલ પ્રશાસને આરોપીની પાસેથી એક ડાયરી કબ્જે કરી છે.

નાગપુર પોલીસે આરોપી ગેંગસ્ટરનું પ્રોડક્શન રિમાન્ડ માંગ્યું છે. ધમકી ભરેલા ફોન કોલ પછી નાગપુર પોલીસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સુરક્ષામાં વધારો કરી દીધો હતો. પોલીસના કહેવા પ્રમાણે, BSNL નેટવર્કના રજીસ્ટર નંબર પરથી ગડકરીના કાર્યાલયના લેન્ડલાઈન નંબર પર સવારે 11.25 વાગ્યે, 11.32 વાગ્યે અને 12.32 વાગ્યે ત્રણ ફોન આવ્યા હતા.

પોલીસે કહ્યું કે કોલ રેકોર્ડ મેળવી લેવામાં આવી રહ્યા છે. નાગપુરના પોલીસ વિભાગના અધિકારી રાહુલ મદાને કહ્યું છે કે ત્રણ ફોન કોલ દ્વારા ગડકરીને ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ફોન પછી તેમણે કહ્યું હતું કે અમારી અપરાધ શાખા સીડીઆર(કોલ ડિટેલ રેકોર્ડ) પર કામ કરશે. એક વિશ્લેષણ ચાલી રહ્યું છે અને મંત્રીની હાલની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. ગડકરીના કાર્યક્રમ સ્થળ પર પમ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીની નાગપુરની ઓફિસમાં કરવામાં આવેલા ધમકીભર્યા ફોનમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને સાથે ધમકી આપનાર વ્યક્તિએ 100 કરોડ રૂપિયાનું એક્સટોર્શન પણ માંગ્યું હતું.

જયેશ કાંતાએ ફોનમાં પોતાને દાઉદી ઈબ્રાહીમના ગેંગનો મેમ્બર ગણાવ્યો હતો. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આખરે બેલગાવની જેલમાં બેઠા બેઠા આ કેદીની પાસે મોબાઈલ નંબર આવ્યો કંઈ રીતે. નીતિન ગડકરીને રાજનીતિના અજાત શત્રુ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ તેમના કોઈ દુશ્મન નથી પરંતુ સૌની સાથે દોસ્તી ભર્યા સંબંધ છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.