ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને CM બઘેલ બોલ્યા-ચમત્કાર ન દેખાડવો જોઇએ, એ જાદુગરો...

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ચમત્કારને લઇને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લોકોને સિદ્ધિઓ મળે છે અને રામ-કૃષ્ણ, ભગવાન બુદ્વ તેના ઉદાહરણ છે. સિદ્ધિઓને નકારી શકાય નહીં, પરંતુ ચમત્કાર ન દેખાડવો જોઇએ કેમ કે એ જાદુગરોનું કામ છે. તેનાથી સમાજમાં જડતા આવે છે. તેમણે કહ્યું કે, એવા ચમત્કાર ન દેખાડવા જોઇએ. તે જાદુગરોનું કામ છે. ઋષિ-મુનિઓએ તેને રોક્યું હતું કેમ કે આ પ્રકારની સિદ્ધિઓનો પ્રયોગ ન થવો જોઇએ.

પીર-ફકીર દ્વારા તાવીજ આપીને, ઇસાઇઓમાં ચંગાઇ સભાઓમાં ચમત્કારની વાત કરે છે, જેનાથી બચવું જોઇએ. તો મધ્ય પ્રદેશના નેતા પ્રતિપક્ષ લહાર ધારાસભ્ય ડૉ. ગોવિંદ સિંહે એક કાર્યક્રમમાં બાગેશ્વર મહારાજના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર નિશાનો સાધતા કહ્યું કે, બાગેશ્વર બાબા કોઇ ચમત્કારી નથી. તેઓ અંધવિશ્વાસી છે, નેતા પ્રતિપક્ષે કહ્યું કે, હું અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરતો નથી.

જો તેઓ ચમત્કારી છે તો મધ્ય પ્રદેશનું દેવું માફ કરીને દેખાડે, તો રાજ્યના વિકાસ પોતાની જાતે જ થઇ જશે. પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં નેતા પ્રતિપક્ષ ડૉ. ગોવિંદ સિંહે કહ્યું કે, બાગેશ્વર મહારાજ કોઇ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા નથી. ધર્મના નામ પર પોતાની તિજોરી ભરી રહ્યા છે, તેનાથી વધારે સનાતની તેમણે પોતાને બતાવ્યા. ડૉ. ગોવિંદ સિંહે કહ્યું કે, હું પણ બાળપણથી જ ગીતા, રામાયણ અને હનુમાન ચાલીસાનો પાઠ કરું છું.

ભારતનો દરેક નાગરિક સનાતની છે. નેતા પ્રતિપક્ષ ડૉ. ગોવિંદ સિંહે કહ્યું કે, એવા લોકોએ રાજનીતિમાં ભાગ ન લેવો જોઇએ. નહીં તો જનતા તેમનું વર્ચસ્વ સમાપ્ત કરી દેશે. નેતા પ્રતિપક્ષે કહ્યું કે, બાગેશ્વર બાબા એટલા ચમત્કારી છે તો મહારાષ્ટ્રના નાગરિક દ્વારા નાગપુરમાં કેસ નોંધવાની વાત વચ્ચે જ કાર્યક્રમ છોડીને કેમ ભાગી ગયા? તેઓ ભસ્મ કરી દેતા. ધીરેન્દ્ર શાસ્ત્રીને એક તરફ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ઘણા નેતાઓએ તેમનું સમર્થન પણ કર્યું છે.

આ દરમિયાન છત્તીસગઢના બિલાસપુર પહોંચેલા જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમને પડકાર આપ્યો છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વિના કહ્યું કે, ચમત્કાર દેખાડનારા જોશીમઠ જઇને ધસતી જમીનને રોકીને દેખાડે, ત્યારે તેમના ચમત્કારને હું માન્યતા આપીશ. વેદો મુજબ ચમત્કાર દેખાડનારાઓને હું માન્યતા આપું છું, પરંતુ પોતાની વાહવાહી અને ચમત્કારીવાળા બનવાનો પ્રયત્ન કરનારાઓને હું માન્યતા આપતો નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.