CM જિમનું ઉદઘાટન કરવાના હતા, ટોળાએ તોડફોડ કરીને મંચ પર આગ લગાવી દીધી

એક રાજ્યના મુખ્યમંત્રી 28 એપ્રિલે જિમનું ઉદઘાટન કરવા જવાના હતા, કાર્યક્રમનું પુરુ આયોજન થઇ ગયું હતું, મંચ તૈયાર હતો, પરંતુ એ પહેલા ટોળાએ પહોંચીને બધું તોડફોડ કરી નાંખ્યું હતું અને મંચને આગ લગાડી દીધી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી અને 144ની કલમ લાગૂ કરી દેવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહ ચુરાચંદપુરના ન્યૂ લામકા વિસ્તારમાં પીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બનેલા ઓપન જિમનું ઉદઘાટન કરવાના હતા. પરંતુ ગુરુવાર, 27 એપ્રિલની સાંજે લોકોના ટોળાએ તેને આગ લગાવી દીધી હતી અને જાહેર સભાના પેવેલિયનમાં તોડફોડ કરી નાંખી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળાને હટાવી દીધું છે, પરંતુ એ પહેલા કાર્યક્રમ સ્થળ પર ભારે નુકશાન થઇ ચૂક્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા પારખીને સ્થાનિક તંત્રએ સુરક્ષા વધારી  દીધી છે, હજુ પણ સ્થિતિ તનાવપૂર્ણ હોવાનું જાણવા મળ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં રાજય સરકારના સત્તાવાર સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગુરુવારે રાત્રે થયેલી હિંસાની પાછળ  Indigenous Tribal Leaders' Forum (ITLF)ના સમર્થકો અને સ્વંય સેવકોનો હાથ હતો. આ સંગઠન સાથે જોડાયેલા લોકોએ જિલ્લામાં બંધનું એલાન કર્યું હતું. ITLFને ત્યાંના કુકી સ્ટુડન્ટસ સંગઠનનો પણ સહકાર મળી રહ્યો છે. તેમનો દાવો છે કે રાજ્યના આદિવાસીઓ સાથે સાવકી મા જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, ITLFએ કહ્યું છે કે તે સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મજબૂર છે. તેમને મણિપુરમાં આરક્ષિત અને સંરક્ષિત જંગલો અને વેટલેન્ડ્સના સર્વે સામે વાંધો છે. આ અંગે ફોરમ ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારને વારંવાર સવાલો ઉઠાવતું રહ્યું છે. આ ઉપરાંત આદિવાસી મંચે રાજ્ય સરકાર પર ચર્ચોને તોડી પાડવાનો પણ આરોપ લગાવ્યો છે.

મણિપુર સરકારે પૂર્વા ઇંફાલમાં 11 એપ્રિલે 3 ચર્ચોને એવું કહીને તોડી પાડ્યા હતા કે તે ગેરકાયદે ઉભા કરવામાં આવ્યા હતા. તોડી પાડવામાં આવેલા ચર્ચમાં ઇવેંજેલિકલ બેપટિસ્ટ કન્વેન્શન ચર્ચ,  લૂથરન ચર્ચ અને કેથલિક હોલી સ્પિરિટ ચર્ચ સામેલ છે. ચર્ચ તોડવા સામે મણિપુર હાઇકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે પ્રતિબંધ લગાવવાનો ઇન્કાર કર્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.