CM શિવરાજે આદિવાસી યુવકના પગ ધોયા,માફી માંગી, જાણો કેમ?

મધ્યપ્રદેશની શિવરાજ સરકાર સીધી જિલ્લામાં થયેલા પેશાબના કેસમાં ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત છે. ગુરુવારે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ પીડિત આદિવાસી દશમત રાવતને ભોપાલમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા. અહીં મુખ્યમંત્રી શિવરાજે તેમના પગ ધોયા, ટીકા કરી અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું. મુખ્યમંત્રીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને માફી પણ માંગી હતી.
यह वीडियो मैं आपके साथ इसलिए साझा कर रहा हूँ कि सब समझ लें कि मध्यप्रदेश में शिवराज सिंह चौहान है, तो जनता भगवान है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 6, 2023
किसी के साथ भी अत्याचार बर्दाश्त नहीं किया जायेगा। राज्य के हर नागरिक का सम्मान मेरा सम्मान है। pic.twitter.com/vCuniVJyP0
મુખ્યમંત્રી શિવરાજે પીડિત યુવકને ગણેશની પ્રતિમા પણ અર્પણ કરી છે. શ્રીફળ અને કપડાં પણ આપવામાં આવ્યા છે. CM શિવરાજએ પીડિતને પૂછ્યું કે શું ઘરમાં કોઈ સમસ્યા છે? કંઈ થાય તો મને જણાવજો. શિવરાજે પૂછ્યું કે તમે શું કામ કરો છો? પીડિતે જણાવ્યું કે તે કુબેરીના બજારમાં મજૂરીનું કામ કરે છે. CMએ પૂછ્યું કે બાળકો ભણે છે? તેમને શિષ્યવૃત્તિ મળે છે કે નહીં? પીડિતાએ જણાવ્યું કે બાળકને સ્ટાઈપેન્ડ મળે છે. શિવરાજે કહ્યું કે હું તે ઘટના જોઈને ખૂબ જ દુઃખી છું, તેથી હું માફી માંગુ છું. તે મારી ફરજ છે અને પ્રજા મારા માટે ભગવાન છે. શિવરાજે મુખ્યમંત્રી નિવાસસ્થાને દશમતને નાસ્તો કરાવ્યો હતો.
मन दु:खी है; दशमत जी आपकी पीड़ा बाँटने का यह प्रयास है, आपसे माफी भी माँगता हूँ, मेरे लिए जनता ही भगवान है! pic.twitter.com/7Y5cleeceF
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 6, 2023
સીધી જિલ્લા પેશાબના મામલામાં ભાજપ સરકાર ઘેરાયેલી છે. કોંગ્રેસ સતત આદિવાસી સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ શિવરાજ સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં આદિવાસી ભાઈ-બહેનો પર અત્યાચાર વધી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતાના અમાનવીય ગુનાએ સમગ્ર માનવતાને શરમમાં મૂકી દીધી છે. આ છે આદિવાસીઓ અને દલિતો પ્રત્યે ભાજપની નફરતનો ઘૃણાસ્પદ ચહેરો અને વાસ્તવિક ચરિત્ર.
મધ્યપ્રદેશના સીધીમાં એક યુવક દ્વારા આદિવાસી પર પેશાબ કરવાનો મામલો વીડિયો સામે આવ્યો હતો. પેશાબ કરનાર ભાજપ યુવા નેતા પ્રવેશ શુક્લા હોવાનું સામે આવ્યા પછી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી પ્રવેશ શુક્લા સામે કાર્યવાહી કરવામાં આવી છે. CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આરોપીઓ પર NSA લગાવવામાં આવશે. આવી ઘટનાઓને સાંખી લેવામાં આવશે નહીં. આરોપીના ઘરે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મધ્ય પ્રદેશમાં આ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે એવા સમયે વિપક્ષોને કોઇ પણ મોકો મળે તેવી ઘટના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપને પોષાય તેમ નથી, એટલે ડેમેજ કંટ્રોલ કરવું જરૂરી હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp