શિંદે સરકારે કર્ણાટકના 865 ગામ મહારાષ્ટ્રમાં સમાવી લેવાનો વિવાદી નિર્ણય કર્યો

કર્ણાટક સાથે સીમા વિવાદને લઇને મુખ્યમંત્રી એકનાથ શિંદેના પ્રસ્તાવને મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ કરી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કર્ણાટકના 865 ગામો અને કેટલાક વિસ્તારોને મહારાષ્ટ્રમાં સામેલ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવને વિધાનસભામાં ઉપસ્થિત બધી પાર્ટીના ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના ભાષણમાં કહ્યું કે, કોંગ્રેસના સમયથી જ આ વિવાદ ચાલતો આવી રહ્યો છે અને તે જ તેના માટે જવાબદાર છે.

ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મીટિંગ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકને કહ્યું હતું કે, બંને રાજ્ય સુપ્રીમ કોર્ટ તરફથી યથાસ્થિતિ બનાવી રાખવાના નિર્ણય પર જ રહે.

જો કે, ત્યારબાદ કર્ણાટક વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થયો હતો. ત્યારબાદ જ એકનાથ શિંદે સરકાર પર વિપક્ષ નિશાનો સાધી રહ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષની નિંદાથી બચવા માટે જ મહારાષ્ટ્ર સરકારને આ પ્રસ્તાવ લાવવો પડ્યો, જેમાં કર્ણાટકના બેલગાવી જિલ્લાના હિસ્સાના 865 ગામ અને કેટલાક વિસ્તારોને મહારાષ્ટ્રમાં સામેલ કરવાની વાત કહેવામાં આવી છે.

છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્ર વિધાનસભામાં સીમા વિવાદને લઇને હોબાળો ચાલી રહ્યો હતો. વિપક્ષી નેતાઓએ ગત દિવસોમાં કર્ણાટકના બેલગાવી જવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.

વિપક્ષના હોબાળા પર જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, અમે સીમાંત વિસ્તારમાં પોતાના લોકોને એકલા નહીં છોડીએ. અમે પોતાની જમીનની એક-એક ઇંચ માટે લડીશું પછી આ બાબતે સુપ્રીમ કોર્ટમાં હોય કે પછી કેન્દ્ર સરકાર પાસે. તેમણે કહ્યું હતું કે, અમે સીમાંત વિસ્તારમાં રહેતા મરાઠી ભાષી લોકો સાથે અન્યાય નહીં થવા દઇએ અને તેમના હકો માટે લડીશું.

18 વર્ષ પહેલા વર્ષ 2004માં મહારાષ્ટ્ર સરકાર આ સીમા વિવાદને સુપ્રીમ કોર્ટ લઇને ગઇ હતી. મહારાષ્ટ્ર સરકારે 814 ગામો તેને સોંપવાની માગણી કરી હતી. વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે સૂચન આપ્યું કે આ બાબતે અરસપરસ વાતચીતથી હલ કરવું જોઇએ. સાથે જ એવું પણ સૂચન કર્યું હતું કે ભાષાના આધાર પર ભાર ન આપવો જોઇએ કેમ કે, તેનાથી પરેશાની હજુ વધી શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.