JPCની માંગ છોડીએ તો BJP રાહુલના માફી મુદ્દાને છોડી દેશે,કોંગ્રેસનો સરકાર પર આરોપ

સંસદના ગતિરોધ વચ્ચે કોંગ્રેસે કેન્દ્ર પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ સુત્રોએ દાવો કર્યો છે કે, સરકાર તરફથી ઓફર આપવામાં આવી છે કે, જો પાર્ટી JPCની માંગ છોડી દે તો BJP રાહુલ ગાંધીની માફીની માંગ નહીં કરશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ આ તરફ જ ઈશારો કરતા એક ટ્વીટ કર્યું છે, જેમા તેમણે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કર્યું છે. જયરામ રમેશે પોતાના ટ્વીટમાં લખ્યું, PM સાથે સંકળાયેલા અદાણી ઘોટાળામાં વિપક્ષની JPCની માંગને BJP દ્વારા સંપૂર્ણરીતે આધારહીન આરોપોના આધાર પર રાહુલ ગાંધીની માફીની માંગ સાથે કઈ રીતે જોડી શકાય છે.

જયરામ રમેશે આગળ લખ્યું, JPC ની માંગ વાસ્તવિક અને દસ્તાવેજોના આધાર પર સામે આવેલા ઘોટાળા માટે છે. માફીની માંગ અદાણી મામલા પરથી ધ્યાન ભટકાવવા માટે છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટી તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, JPCની માંગ છોડવાનો સવાલ જ નથી ઉઠતો.

જણાવી દઈએ કે, કોંગ્રેસ અદાણી મામલાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (Joint Parliamentary Committee) (JPC) બનાવવાની માંગ કરી રહ્યું છે. જ્યારે BJP એ માંગ પર અડ્યું છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલના સાંસદ રાહુલ ગાંધી લંડન પ્રવાસ દરમિયાન પોતાના કેટલાક નિવેદનો માટે માફી માંગે.

કોંગ્રેસ અને BJP ના આ રાજકીય ઘમાસાનને કારણે સંસદના બજેટ સત્રનું બીજું ચરણ બાધિત થઈ રહ્યું છે. બીજું ચરણ 13 માર્ચથી શરૂ થયુ હતું પરંતુ, હંગામાને પગલે ત્યારથી સદનની કાર્યવાહી નથી ચાલી શકી. આ સત્ર છ એપ્રિલ સુધી ચાલવાનું છે અને તે પહેલા 23 માર્ચે સામાન્ય બજેટ પાસ કરવામાં આવવાનું છે.

થોડાં દિવસ પહેલા PTI સાથે વાત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, અદાણી મુદ્દાની સંયુક્ત સંસદીય તપાસની માંગ માટે 16 વિપક્ષી દળોના એકસાથે આવવાથી સરકાર ગભરાઈ ગઈ છે અને તેનાથી બચવા માટે વિવિધ પ્રકારના પેંતરા કરી રહી છે. જયરામ રમેશે વધુમાં કહ્યું હતું કે, બ્રિટનમાં પોતાની ટિપ્પણીને લઈને રાહુલ ગાંધીની લોકસભાની સભ્યતા સમાપ્ત કરવાના BJP સાંસદ નિશિકાંત દુબેના નિવેદન પર પણ નિશાનો સાધ્યો અને કહ્યું કે, આ બધુ ડરાવવા-ધમકાવવા અને વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાના પ્રયાસનો હિસ્સો છે. સંચાર પ્રભારી કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશની આ ટિપ્પણી રાહુલ ગાંધીની હાલની બ્રિટન યાત્રા દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીને લઈને સંસદમાં ગતિરોધની વચ્ચે આવી હતી, ગતિરોધને પગલે બંને સદન બજેટ સત્રની બીજી છમાસિક પહેલા પાંચ દિવસ ઠપ્પ રહી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.