BJPવાળા PM મોદીને ભગવાન કહે છે, એ તાનાશાહી સિવાય કંઇ નથી: મલ્લિકાર્જૂન ખડગે

કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ કારણે બધી રાજનીતિક પાર્ટીઓ પોતાની તૈયારીઓને ધાર આપવાની શરૂઆત કરી દીધી છે. જ્યાં ભાજપ આ દક્ષિણ ભારતીય રાજ્યમાં પોતાની સત્તા યથાવત રાખવા માગે છે તો કોંગ્રેસ રાજ્યમાં પોતાની જમીન મજબૂત કરવા લાગી છે. આ કારણે હાલમાં જ અહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કર્ણાટકની મુલાકાત લીધી હતી. હવે ત્યાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પહોંચ્યા છે.

કર્ણાટકના ચિત્રદુર્ગમાં રવિવારે (8 જાન્યુઆરીના રોજ) કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. કેન્દ્ર પર સરકારી પદોને ખાલી રાખવાનો આરોપ લગાવતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, 30 લાખ સરકારી પદ ખાલી છે, મોદીજી ભરી રહ્યા નથી, કેમ? આપણે પૂછવું જોઇએ. 15 લાખ નોકરીઓ SC/ST માટે અનામત છે, જો ગરીબોને તેનો લાભ મળે છે તો તેમને (કેન્દ્રઅને) બહાર કરી દેવામાં આવશે. એટલે તેઓ ખાલી પદો ભરી રહ્યા નથી.

ચિત્રદુર્ગમાં એક્યથા સમાવેશ કાર્યક્રમમાં મલ્લિકાર્જૂન ખડગેએ અલગ-અલગ મુદ્દાઓ પર રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. કર્ણાટકમાં વિભાજન ઉત્પન્ન કરવા માટે ભાજપ અને બસવરાજ બોમ્મઇના નેતૃતત્વવાળી સરકારને દોષી ઠેરવતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર બુદ્ધિમાન રાજ્ય છે, જેઓ રાષ્ટ્ર નિર્માણ કરે છે. અહીં કર્ણાટકમાં શું થઇ રહ્યું છે. ભાજપ અને બોમ્મઇએ જાતિ અને ધર્મના નામ પર આપણાં રાજ્યને બરબાદ કરી દીધું છે. આવી રીતે વહેચ્યા આપણને, ભાજપે એ કર્યું.

મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના સભ્ય મોદીને ભગવાન કહે છે અને તેમને ભગવાન માને છે. એ તાનાશાહ સિવાજ બીજું કશું જ નથી. તેને દૂર રાખવાની જરૂરિયાત છે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ અગાઉ શુક્રવારે (6 જાન્યુઆરીના રોજ) રામ મંદિરના ઉદ્દઘાટનની તારીખ જાહેરાત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર સવાલ ઉઠાવ્યો હતો. હરિયાણાના પાનીપતમાં એક રેલીમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે, શું તમે રામ મંદિરના પૂજારી છો, શું તમે રામ મંદિરના મહંત છો?

મહંતો, સાધુઓ અને સંતોને તેની બાબતે વાત કરવી જોઇએ. તમે કોણ છો મંદિરના ઉદ્દઘાટનની વાતો કરનારા? તમે એક રાજનીતિજ્ઞ છો. તમારું કામ દેશને સુરક્ષિત રાખવાનું, કાયદો બનાવી રાખવાનું અને લોકો માટે ભોજન સુનિશ્ચિત કરવાનું અને ખેડૂતોને જરૂરી મૂલ્ય પ્રદાન કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હાલમાં જ જાહેરાત કરી હતી કે અયોધ્યામાં રામ મંદિર 1 જાન્યુઆરી 2024ના રોજ તૈયાર થઇ જશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.