ધારાસભ્ય કોંગ્રેસના અને ઘરે BJPનો ઝંડો ફરકતો હતો, સસ્પેન્ડ કરી દેવાયા

પંજાબના એક ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના નેતા છે અને પોતાના ઘરે ભાજપનો ઝંડો લહેરાવી રહ્યા છે એ વાતની જાણ થતા કોંગ્રેસ હાઇકમાન્ડે ધારાસભ્યને સસ્પેન્ડ કરી દીધા છે. આ ધારાસભ્યના કાકા અને એક જમાનામાં પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પણ ગયા વર્ષે જ કોંગ્રેસ છોડીને ભાજપનો  ભગવો ધારણ કરી લીધો હતો. જો કે સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય કઇ પાર્ટીમાં જવાના છે એ વિશે હજુ  સુધી કોઇ જાણકારી સામે આવી નથી.

પંજાબની અબોહર વિધાનસભાથી કોંગ્રેસના ધારાસભ્ય સંદીપ જાખડ વિરુદ્ધ પાર્ટી હાઈકમાન્ડે મોટી કાર્યવાહી કરી છે. શનિવારે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય સંદીપ જાખડ પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આટલું જ નહીં જાખડ પર એવો પણ આરોપ છે કે તેણે પોતાના ઘરની છત પર ભાજપનો ઝંડો લગાવ્યો છે.

સંદીપ જાખડ અબોહર વિધાસભાથી કોંગેસના ધારાસભ્ય છે. તેઓ પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડના ભત્રીજા છે.સુનીલ જાખડ હજુ ગયા વર્ષે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.

પંજાબ વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે સંદીપ જાખડને ટિકીટ આપી હતી. સંદીપ જાખડે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દીપ કંબોજને 5471 મતથી હાર આપી હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ત્રીજા નંબર પર હતા.

2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સામે નારાજગીને કારણે સુનીલ જાખડે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો એટલે પાર્ટીએ તેમના ભત્રીજા સંદીપ જાખડને મેદાનમાં ઉતાર્યા હતા.

કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ધારાસભ્ય સંદીપ જાખડને સસ્પેન્ડ કરવાનું કારણ પણ આપવામાં આવ્યું છે. તેમના પર પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજા વોર્ડિંગ વિરુદ્ધ બોલવા અને તેમના કાકા સુનીલ જાખડનો બચાવ અને સંદીપ જાખડના ઘરે ભાજપનો ઝંડો લગાવવાનો આરોપ છે, ઉપરાંત કોંગ્રેસની ભારત જોડો યાત્રા અને પાર્ટીના અન્ય કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાનો પણ આરોપ છે.

પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડિંગે ધારાસભ્ય સંદીપ જાખડની કોંગ્રેસના હાઇકમાન્ડને ફરિયાદ કરી હતી કે તેઓ પાર્ટી વિરોધી ગતિવિધીઓ કરી રહ્યા છે. જેના પર કોંગ્રેસ હાઇકમાન્ડે પગલા લીધા છે.

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી લેવામા આવેલા કડક પગલાં એ વાતનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ કોઇ પણ સંજોગોમાં પાર્ટી વિરુદ્ધ જનારાને માફ નહીં કરે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.