PM મોદીએ કહ્યું- કોંગ્રેસ કહેશે PM એપ્રિલ ફુલ બનાવે છે પણ...

PC: ndtv.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે, 1 એપ્રિલના દિવસે વંદે ભારત ટ્રેનને ભોપાલથી દિલ્હી જવા માટે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધી દીધું હતું. PM મોદીએ કહ્યું કે, જ્યારે ટ્રેનને લીલીઝંડી બતાવવાના સમાચારો છપાશે તો અમારા કોંગ્રેસના મિત્ર 1 એપ્રિલને કારણે એ નિવેદન જરૂર આપશ કે PM મોદી તો ‘એપ્રિલ ફુલ’ બનાવે છે. પરંતુ તમે જુઓ પહેલી એપ્રિલે જ ટ્રેન ચાલું થઇ ગઇ છે. આ અમારા કૌશલ્ય, સામર્થ્ય અને અમારા આત્મવિશ્વાસનું પ્રતિક છે.

PM મોદી આજે શનિવારે ભોપાલ પહોંચ્યા અને મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વડા પ્રધાન મોદીએ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. મધ્ય પ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ PM મોદીએ કહ્યું, આજે મધ્ય પ્રદેશને પહેલી વંદે ભારત ટ્રેન મળી છે. આને કારણે ભોપાલ અને દિલ્હીની સફર વધારે તેજ થઇ જશે.તેમણે કહ્યું કે, આ ટ્રેન પ્રોફેશનલ્સ માટે છે, યુવાનો માટે છે, બિઝનેસ કરતા લોકો માટે નવી નવી સુવિધા લઇને આવશે.

પ્રધાનમંત્રી મોદીએ  ટ્રેનને લીલીઝંડી બતાવતી વખતે કહ્યુ કે, આધુનિક ભારતમાં નવી વ્યવસ્થાઓ બની રહી છે, નવી પરંપરાઓ બની રહી છે. આજનો કાર્યક્રમ તેનું ઉત્તમ ઉદાહરણ છે. સાથે જ તેમણે કહ્યુ કે, આ આયોજન જે આધુનિક અને ભવ્ય રાની કમલાપતિ સ્ટેશન પર થઇ રહ્યું છે, તેના લોકાપર્ણ કરવાનું સૌભાગ્ય પણ તમે મને આપ્યું હતું. આજે મને અહીંથી જ દિલ્હી માટે ભારતની લેટેસ્ટ વંદે ભારત ટ્રેનને રવાના કરવાનો પણ અવસર આપ્યો છે. રેલવેના ઇતિહાસમાં ભાગ્યેજ એવું બન્યું હશે કે એક જ સ્ટેશન પર આટલા ટુંકા સમયગાળામાં કોઇ પ્રધાનમંત્રીએ બીજી વાર આવવાનું થયું હોય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના શાસનકાળ વિશે બોલતા કહ્યું હતું કે, આઝાદી પછી કોંગ્રેસને તૈયાર રેલવે નેટવર્ક મળ્યું હતું, જો સરકાર તે વખતે ઇચ્છતે તો ઝડપથી રેલવેને આધુનિક બનાવી શકતે. પરંતુ રાજકીય સ્વાર્થ માટે, રેલવેના વિકાસને જ બલિ ચઢાવી દીધો. હાલત તો એ હતી કે આઝાદીના દશકો પછી પણ આપણા નોર્થ-ઇસ્ટ રાજ્યો રેલવેથી જોડાયેલા નહોતા.

PM મોદીએ કહ્યુ  કે, વર્ષ 2014માં જ્યારે મને સેવા કરવાનો મોક મળ્યો, ત્યારે જ મેં નક્કી કરેલું હવેથી આવું નહી થાય અને રેલવેની કાયાકલ્પ થઇને રહેશે. છેલ્લાં 9 વર્ષમાં અમારા નિરંતર પ્રયાસ રહ્યો છે કે ભારતીય રેલવે દુનિયાની સર્વશ્રેષ્ઠ રેલવે કેવી રીતે  બને.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પહેલા સાંસદો એવો પત્ર લખતા હતા કે ટ્રેન આ સ્ટેશન પર ઉભી રહે તેવી વ્યવસ્થા કરો, અહીં રોકો, ત્યાં રોકો, પરંતુ આજે મને ગર્વ છે કે જ્યારે સાંસદો  પત્ર લખે છે  અને માંગ કરે છે કે અમારા વિસ્તારમાં પણ વંદે ભારત ટ્રેન જલ્દીમાં જલ્દી ચાલુ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp