દેશની એક ઇંચ જમીન પર પણ કોઇ કબજો ન કરી શકે: અમિત શાહ

ભારત-ચીન સરહદને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતની એક ઈંચ જમીન પર કોઈ કબજો કરી શકે નહીં. બેંગલુરુમાં Indo-Tibetan Border Police (ITBP)ના  એક કાર્યક્રમને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે હું ભારત-ચીન સરહદની ચિંતા કરતો નથી કારણ કે મને ખબર છે કે ITBPના જવાનો ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.સુરક્ષાબળોના હાથમાં આપણો દેશ સલામત છે.

અમિત શાહે કહ્યું કે ITBPએ મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેથી જ હું અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તર ભારતના રાજ્યોમાં ગયો, જ્યાં ભારતના લોકો તેમને હિમવીર કહે છે. આ ઉપનામ તેમને આપવામાં આવ્યો છુ. હું સંમત છું કે જનતાએ સૈનિકને પદ્મશ્રી, પદ્મ વિભૂષણ કરતાં પણ મોટું સન્માન આપ્યું છે. આ એક મહાન સિદ્ધિ છે કારણ કે આ સરકારી ઉપનામ નથી.

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકો સાથેની અથડામણને લઈને વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષ સરકારને આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવાની માગણી કરતી રહી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે સરકારને ઘણી વખત ઘેરી હતી. જો કે સંરક્ષણ મંત્રી તરફથી ગૃહમાં જવાબ આપવામાં આવ્યો હતો.

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સેના અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું હતું કે 9 ડિસેમ્બરે અથડામણમાં ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને તેમને ભગાડી દીધા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ અથડામણમાં કોઈ ભારતીય સૈનિકનું મોત થયું નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.

તો બીજી તરફ, ચીને આ અથડામણ માટે ભારતીય સેનાને જવાબદાર ઠેરવી હતી. ચીની સેનાએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય સેનાના સૈનિકોએ ગેરકાયદેસર રીતે વિવાદિત સરહદ પાર કરી હતી, જેના કારણે અથડામણ થઈ હતી.

Indo-Tibetan Border Police (ITBP)એ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે જે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે. ITBPFની શરૂઆત 24મી ઓક્ટોબર, 1962માં થઇ હતી. તે એક સરહદ રક્ષક પોલીસ દળ છે જે ઉચ્ચ ઊંચાઈની કામગીરીમાં વિશેષતા ધરાવે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.