સંસ્કૃતિ અને પંરપરા સાથે ચેડા ન થવા જોઇએ, UCC મુદ્દે BJPના વધુ એક સાથી CM નારાજ

યુનિફોર્મ સિવિલ કોડ(UCC) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભોપાલમાં આપેલા એક નિવેદન પછી UCCના મુદ્દે ગરમાટો આવી ગયો છે અને દેશભરમાં તેના વિશે ચર્ચા ચાલી રહી છે. PM મોદીએ કહ્યું હતું કે એક જ દેશમાં બે કાયદા કેવી રીતે હોઇ શકે, દેશમાં સમાન નાગરિક કાનૂનની આવશ્યકતા છે.નરેન્દ્ર મોદીના નિવેદન બાદ યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યાં ઉદ્ધવ ઠાકરેની આમ આદમી પાર્ટી અને શિવસેના જૂથે તેને સમર્થન આપ્યું છે. તો બીજી તરફ પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં, મુખ્યમંત્રી અને ભાજપના સહયોગી NPPના પ્રમુખ કોનરાડ કે. સંગમાએ તેની ટીકા કરી છે. મેઘાલયના CM કોનરાડ સંગમાએ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ ભારતના વાસ્તવિક વિચારની વિરુદ્ધ છે. ભારત વિવિધતામાં એકતા વાળો દેશ છે.

નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના પ્રમુખ સંગમાએ મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે, UCC દેશ માટે યોગ્ય નથી. આ ભારતના વાસ્તવિક વિચારની વિરુદ્ધ છે, જે વિવિધતામાં એકતા દ્વારા વર્ગીકૃત થયેલું વૈવિધ્યસભર રાષ્ટ્ર છે.

સંગમાએ કહ્યું, હું પાર્ટીના દૃષ્ટિકોણથી વાત કરી રહ્યો છું. NPP મુજબ, સમાન નાગરિક કાનૂન ભારતની વાસ્તવિક ભાવનાની વિરુદ્ધ છે. વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ, જીવનશૈલી અને ધર્મો દેશની તાકાત છે. તેમણે વધુમાં કહ્યું, મેઘાલય એક માતૃસત્તાક સમાજ છે અને આ જ અમારી તાકાત છે.  જે સંસ્કૃતિ અને અન્ય પાસાઓ કે જેને આપણે લાંબા સમયથી અનુસરી રહ્યા છીએ તેને બદલી શકાતા નથી. એક રાજકીય પક્ષ તરીકે, અમે સમજીએ છીએ કે સમગ્ર ઉત્તર પૂર્વ પ્રદેશને એક અનોખી સંસ્કૃતિ મળી છે. અમે ઈચ્છતા નથી કે અમારી પરંપરા અને સંસ્કૃતિને સ્પર્શ કરવામાં આવે.

NPP એ BJPની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA)ની સાથી છે. તે શાસક મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA)નું નેતૃત્વ કરે છે. ભાજપ એમડીએ સરકારમાં બે ધારાસભ્યો સાથે ભાગીદાર છે. મેઘાલય ઉપરાંત NPP મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં મજબૂત રાજકીય આધાર ધરાવે છે.

યુનિર્ફોમ સિવિલ કોડએ તમામ નાગરિકો માટે તેમના ધર્મ, જાતિ, લિંગ અને લૈંગિક અભિગમને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિગત કાયદાઓ બનાવવા અને લાગુ કરવાનો પ્રસ્તાવ છે. આ સમયે વિવિધ સમુદાયોના અંગત કાયદાઓ તેમના ધાર્મિક ગ્રંથો દ્વારા સંચાલિત થાય છે.

PM મોદીએ સોમવારે ભોપાલમાં ભાજપના  એક કાર્યક્રમમાં UCC પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે વોટ બેંકના ભૂખ્યા લોકો છે જેઓ ટ્રિપલ તલાકની તરફેણ કરે છે. ભારતના મુસ્લિમ ભાઈ-બહેનોએ સમજવું પડશે કે કયા રાજકીય પક્ષો તેમને ઉશ્કેરીને તેમનો ફાયદો ઉઠાવવા માગે છે. તેમણે કહ્યું હતું કે શું એક જ પરિવારમાં બે પ્રકારના નિયમો ચાલી શકે ખરા?

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.