બિપરજોયની તબાહી બાદ આ વાતથી સૌથી વધુ સંતુષ્ટ છે અમિત શાહ

ગુજરાતે ચક્રવાતી તોફાન બિપરજોયની ભારે તબાહી જોઈ. લાખો લોકો પોતાના ઘરોથી દૂર થઈ ગયા. હજારો ગામોમાં અંધારું છવાઈ ગયું. સેકડો વૃક્ષ તોફાનની ઝપેટમાં આવીને પડી ગયા. ડઝનો પુલોને નુકસાન થયું. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને ચારેય તરફ તબાહીનો નજારો.. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જખૌ પોર્ટ સાથે ટકરાયા બાદ બિપરજોય રાજસ્થાન તરફ વધી રહ્યું છે.
એવામાં શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ચક્રવતી તોફાન બિપરજોયની તબાહી જોયા બાદ અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. અમિત શાહે કોન્ફરન્સમાં જણાવ્યું આ તોફાનથી ગુજરાતને કેટલું નુકસાન થયું. એ સિવાય તેમણે રાજ્ય સરકારના વખાણ પણ કર્યા. સાથે જ અમિત શાહે એક વાતનો સંતોષ પણ વ્યક્ત કર્યો.
અમિત શાહે કહ્યું કે, એક પણ વ્યક્તિનું મોત આ ચક્રવાતમાં થયું નથી. જ્યારે આ જાણકારી મળે છે તો કામ કરવાનો સંતોષ હોય છે. હું ગુજરાતના મુખ્યમંત્રી અને તાલુકા સ્તર પર પટવારી અને પંચાયતન લોકોને ખૂબ ખૂબ શભેચ્છા અને સાધુવાદ આપવા માગું છું કે આટલા મોટા સંકટમાં ઓછામાં ઓછા નુકસાન સાથે ગુજરાતની જનતાને બહાર કાઢવામાં આવ્યા.
During the Biparjoy cyclone, 707 pregnant women have successfully given birth to babies in hospitals. This demonstrates the sensitivity of the Gujarat government.
— Amit Shah (@AmitShah) June 17, 2023
Additionally, a total of 1,08,208 civilians & 73,000 cattle were evacuated from the affected areas to safer places. pic.twitter.com/Nz9P0EMeNk
साइक्लोन के कारण 3400 गाँवों की बिजली काटी गई थी, उनमें से 1600 गाँवों में बिजली आपूर्ति को 24 घंटे से भी कम समय में पुनः बहाल कर दिया गया है और 20 तारीख की शाम तक सभी गाँवों में बिजली आपूर्ति फिर से बहाल हो जाएगी।
— Amit Shah (@AmitShah) June 17, 2023
ચક્રવાતને કારણે 3400 ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો, જેમાંથી… pic.twitter.com/T6h0JntpUk
ગુજરાતમાં થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, આ આપત્તિમાં માત્ર 47 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમાં કોઈ પણ એવી રીતે ઇજાગ્રસ્ત નથી કે તેને ગંભીરતાની શ્રેણીમાં રાખવામાં આવે. 234 પશુઓના મોત આ આપત્તિમાં થયા છે. એટલી મોટી કોસ્ટલલાઇનમાં, આટલા ઓછા નુકસાન સાથે બહાર નીકળવા માટે ગુજરાત સરકાર અભિનંદનની અધિકારી છે. 3,400 ગામોમાં વીજળી બંધ કરવામાં આવી હતી, જેમાંથી 1600 ગામોમાં વીજળી ફરી ચાલુ કરી દેવામાં આવી છે. મને પ્રશાસને જણાવ્યું કે 20 તારીખે સાંજ સુધી બધા ગામોમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે.
इतने बड़े बिपरजोय तूफान में एक भी व्यक्ति की जान न जाना अत्यंत संतोष की बात है। यह मोदी जी के नेतृत्व में आपदा प्रबंधन में भारत के “Zero casualty approach” का परिणाम है। pic.twitter.com/iPoUpWL5oM
— Amit Shah (@AmitShah) June 17, 2023
मांडवी (गुजरात) के काथड़ा गाँव में किसानों से मुलाकात की और बिपरजोय चक्रवात से हुए नुकसान की जानकारी ली। संकट की इस घड़ी में मोदी सरकार और गुजरात सरकार उनके साथ खड़ी है और हर संभव सहायता प्रदान करने के लिए प्रतिबद्ध है।
— Amit Shah (@AmitShah) June 17, 2023
માંડવી (ગુજરાત)ના કાથડા ગામમાં ખેડૂતોની મુલાકાત કરી અને… pic.twitter.com/cmuKMKdfEu
Conducted an aerial survey of the areas affected by the Biparjoy cyclone in Gujarat. The relief and rehabilitation efforts are underway on a war footing to minimize the hardship faced by the people.
— Amit Shah (@AmitShah) June 17, 2023
ગુજરાતમાં બિપરજોય ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. આવા… pic.twitter.com/De6gJEOxmT
તેમણે જણાવ્યું કે, 1206 ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત હૉસ્પિટલ પહોંચાડવામાં આવી, હું મળીને આવ્યો છું. બધી ગર્ભવતી બહેનોએ વ્યવસ્થા પર સંતોષ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બિપરજોય તોફાનના જોખમને જોતા પહેલા જ લગભગ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાતના સમુદ્રી કિનારા સાથે ટકરાયા બાદ તોફાનની શક્તિ નબળી પડી ગઈ.
बिपरजोय चक्रवात के कारण प्रभावित क्षेत्रों में गर्भवती महिलाओं और बुजुर्गों को एहतियातन अस्पताल में रखा गया था। आज मांडवी के अस्पताल का दौरा कर बुजुर्गों व गर्भवती महिलाओं से भेंट की और वहाँ जन्मे एक नवजात शिशु का कुशलक्षेम जाना। साथ ही स्वास्थ्य व्यवस्थाओं की समीक्षा भी की।… pic.twitter.com/BKmzYExAXp
— Amit Shah (@AmitShah) June 17, 2023
તોફાન હવે રાજસ્થાનમાં પણ તબાહી મચાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. પૂરની સ્થિતિ પણ બની ગઈ છે. સૌથી વધુ પ્રભાવિત જિલ્લો બાડમેર છે. ભારે વરસાદ બાદ લોકો પરેશાન છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. NDRF અને SDRFની ટીમો લોકોની સુરક્ષામાં લાગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp