તેઓ માની ગયા, હવે સોઈની અણી બરાબર કોઈ જમીન નહીં લઈ શકે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે ભારત અને સીમા નજીક આવેલા કિબિથૂ ગામમાં ‘વાઇબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામ’ (VVP)ની શરૂઆત કરી. તેનાથી સીમાવર્તી ગામોમાં રહેતા લોકોને ખૂબ સગવડતા મળશે. આ પરિયોજના પર લગભગ 4,800 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. અમિત શાહનો આ પ્રવાસ ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે કેમ કે હાલમાં જ ચીને અરુણાચલના 11 સ્થળોના નામ બદલ્યા હતા. આ અવસર પર અમિત શાહે નામ લીધા વિના ચીનને લલકારતા કહ્યું કે, હવે કોઈ પણ સીમા પર આંખ ઉઠાવીને નહીં જોય શકે.

સોઈની અણી બરાબર કોઈ બોર્ડરની આ તરફ અતિક્રમણ નહીં કરી શકે. એ જમાના જતા રહ્યા, જ્યારે ભારતની જમીન પર કોઈ અતિક્રમણ કરી શકતું હતું. અરુણાચલના રહેવાસીઓના જોશે વર્ષ 1962માં ચીનને પગલાં પાછા લેવા માટે વિવશ કરી દીધા. પહેલાંનો સમય વિપરીત હતો. હવે સીમાવર્તી વિસ્તારના લોકો કહે છે કે, ભારતના અંત સુધી નહીં, પહેલા ગામના રહેવાસી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમર્શ બદલી દીધો છે. હું કિબિથૂના એ શહીદોને શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધમાં સંસાધનોના અભાવમાં પણ વિરતાથી લડાઈ લડી.

તેમણે કહ્યું કે, જ્યારે હું આવ્યો તો સેકડો ઝરણાઓને જોયા. મેં અહી ઉતરતા જ પેમા ખાંડૂને કહ્યું કે, એક ઘર લઈ લો, જ્યારે હું વૃદ્ધ થઈ જઈશ તો અહીં રહેવા આવું. ભગવાન પરશુરામે અરુણાચલનું નામ આપ્યું હતું. દેશનું દરેક બાળક અરુણાચલને સૂર્યદેવની પહેલી કિરણની ધરતીથી જાણે છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ 2 દિવસીય પ્રવાસ પર અરુણાચલ ગયા છે. ગૃહ મંત્રી બન્યા બાદ પૂર્વોત્તર રાજ્યોમાં તેમનો આ પહેલો પ્રવાસ છે. કિબિથૂમાં 9 સૂક્ષ્મ વીજ પરિયોજનાઓ શરૂ થઈ રહી છે.

આ વીજ પરિયોજનાઓ સીમાવર્તી ગામોમાં રહેનારા લોકોને સશક્ત બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે નાણાકીય વર્ષ 2022-23થી વર્ષ 2025-26ના સડક સામ્પર્ક માટે વિશેષ રૂપે 2500 કરોડ રૂપિયા સહિત 4,800 કરોડ રૂપિયાના કેન્દ્રીય યોગદાન સાથે વાઇબ્રન્ટ વિજેલ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી હતી. આ એક કેન્દ્ર પ્રયોજિત યોજના છે જે હેઠળ ઉત્તરી સીમા નજીક અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના 19 જિલ્લાના 46 બ્લોકમાં 2967 ગામના વ્યાપક વિકાસ માટે ઓળખ કરવામાં આવી છે. પહેલા ચરણ માટે આંધ્ર પ્રદેશના 455 સહિત 662 ગામની ઓળખ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.