તાજમહલ-કુતુબમિનારને તોડી પાડી દુનિયાનું સૌથી સુંદર મંદિર બનાવવામાં આવે: BJP MLA

આસામના ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રૂપજ્યોતિ કુર્મીએ વિવાદિત નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું છે કે, મુઘલ બાદશાહ શાહજહાં તરફથી બનાવવામાં આવેલો તાજમહાલ પ્રેમનું પ્રતિક નથી. મુમતાજ મહલની યાદમાં બનાવવામાં આવેલા તાજમહલને લઈને ઊભા સવાલ કરવામાં આવ્યા. તાજમહલને દુનિયા પ્રેમની સૌથી મોટી નિશાની માને છે, જેને જોવા માટે દર વર્ષે લાખો પર્યટકો આવે છે. રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે, તાજમહલ પ્રેમનું પ્રતિક નથી. શાહજહાંએ પોતાની ચોથી પત્ની મુમતાજની યાદમાં તાજમહલ બનાવ્યો હતો.

જો તે મુમતાજને પ્રેમ કરતો હતો, તો તેણે મુમતાજના મોત બાદ બીજા ત્રણ વખત બીજા લગ્ન શા માટે કર્યા? રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે, શાહજહાંની બીજી બેગમોનું શું થયું? તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગ કરી કે, મુઘલ કાળમાં બનેલા તાજમહલ અને કુતુબમિનારને તોડી પાડવામાં આવે, તેની જગ્યાએ મંદિર બનાવવામાં આવે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે, તાજમહલ અને કુતુબમિનારને ધ્વસ્ત કરી દેવામાં આવે. અહી દુનિયાનું સૌથી સુંદર મંદિર બનાવવામાં આવે.

રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે, આ જગ્યાએ પર ભવ્ય મંદિરનું નિર્માણ થાય. આ નિર્માણની આસપાસ કોઈ અન્ય નિર્માણ પર તાત્કાલિક રોક લાગે. આ કામ માટે તેઓ પોતાની એક વર્ષની સેલેરી મંદિરમાં દાનમાં આપી દેશે. રૂપજ્યોતિ કુર્મીના આ નિવેદનની લોકો ખૂબ નિંદા કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, એક જવાબદાર અને સંવૈધાનિક પદ પર બેસેલા વ્યક્તિએ આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ. કેટલાક લોકોએ કહ્યું કે, આ નિવેદન ખૂબ જ ખોટું છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, દેશનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. તો એક વર્ગ ભાજપના ધારાસભ્યના નિવેદનના વખાણ કરી રહ્યો છે.

શા માટે શાહજહાંએ બનાવ્યો હતો તાજમહલ?

તાજમહલને પ્રેમનું પ્રતિક પહેવામાં આવે છે. મુઘલ બાદશાહ શાહજહાંએ તેને વર્ષ 1632માં બનાવડાવ્યો હતો. મુમતાજ મહલ, શાહજહાંની ચોથી પત્ની હતી, તેની યાદમાં તાજમહલ બનાવવામાં આવ્યો હતો. એમ કહેવામાં આવે છે કે, તેનું મોત પોતાના 14મા સંતાનને જન્મ આપતી વખત થઈ ગયું હતું. તાજમહલ સફેદ સંગેમરમરનો એક ખૂબ જ સુંદર મકબરો છે. તે પોતાના શાનદાર વસ્તુશિલ્પના કારણે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. યુનેસ્કોના ધરોહર સ્થળોમાં તેને એક માનવામાં આવે છે. આ દંપતીના કુલ 14 સંતાન હતા, પરંતુ તેમાંથી માત્ર 7 જ જીવિત રહ્યા હતા. મુમતાજનું મોત ગર્ભાવસ્થા દરમિયાન 1631માં પોતાના છેલ્લા સંતાનને જન્મ આપતી વખત થયું હતું, તેની યાદમાં જ તાજમહલ શાહજહાંએ બનાવડાવ્યો હતો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.