રાજ ઠાકરેના વીડિયો બાદ બુલડોઝર એક્શન, તોડવામાં આવી મુંબઈની દરગાહ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ બુધવારે પોતાના ગુડી પડવાના સંબોધનમાં એક ક્લિપ ચલાવી અને દાવો કર્યો કે, મુંબઇમાં માહિમ તટ પર એક ગેરકાયદેસર દરગાહ બની ગઈ છે. રાજ ઠાકરેએ ચેતવણી આપતા કહ્યું કે, આ કોની દરગાહ છે? શું તે માછલીની છે? તે 2 વર્ષ અગાઉ નહોતી. જો ગેરકાયદેસર નિર્માણને તાત્કાલિક ધ્વસ્ત ન કરવામાં આવ્યું તો અમે એ જ જગ્યાએ એક વિશાળ ગણપતિ મંદિરનું નિર્માણ કરીશું. જો કે, રાજ ઠાકરે દ્વારા શિવાજી પાર્કમાં પોતાની રેલી દરમિયાન નિર્માણનો એક વીડિયો દેખાડવાના એક દિવસ બાદ ગુરુવારે મુંબઈના માહિમમાં ગેરકાયદેસર દરગાહ પાડવાનું અભિયાન શરૂ થઈ ગયું.

વીડિયો પર કાર્યવાહી કરતા નગર કલેક્ટરે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા અને દબાણ હટાવવા માટે 6 સભ્યોની ટીમ બનાવવામાં આવી. રાજ ઠાકરેએ આ મુદ્દા પર ચર્ચા માટે બુધવારે પોતાના આવાસ પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી. રાજ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર આ બાબતે કોઈ કાર્યવાહી કરતી નથી, તો તેઓ મસ્જિદોથી લાઉડસ્પીકર હટાવવા માટે પોતાના અભિયાનને ફરીથી શરૂ કરશે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ગયા વર્ષે તેમની પાર્ટીના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવેલા 17 હજાર કેસોને પરત લેવાની માગ કરી હતી, જ્યારે તેમણે મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની માગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, વીડિયોને પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો.

જેમાં કહેવામાં આવ્યું હતું કે દિવસના અજવાળામાં સમુદ્ર વચ્ચે એક ‘નવો હાજી અલી’ તૈયાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ પોલીસ અને નગર પાલિકાને તેની જાણકારી પણ ન મળી. રાજ ઠાકરે મુંબઈના શિવાજી પાર્કમાં બુધવારે એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. વીડિયોમાં કેટલાક પોલ સાથે કિનારા પાસે એક દ્વીપ પ્રકારનો નાનકડો ભૂ-ભાગ દેખાડવામાં આવ્યો છે.

આ વીડિયોમાં કેટલાક લોકોને સમુદ્રના પાણીમાંથી પસાર થતા અને પ્રાર્થના કરતા જોઈ શકાય છે. રાજ ઠાકરેએ તેને જ દરગાહના રૂપમાં દાવો કર્યો છે. પોતાના સંબોધનમાં તેમણે આગળ કહ્યું કે, હું દેશના સંવિધાનનું પાલન કરનારા મુસ્લિમોને પૂછવા માગું છું. શું તમે તેની નિંદા કરો છો? હું કોઈને ઝુકાવવા માગતો નહીં, પરંતુ જ્યારે જરૂરિયાત હશે તો મારે એમ કરવું પડશે. ગેરકાયદેસર દરગાહ માહિમમાં મખદુમ બાબાની દરગાહ પાસે છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે રાજ ઠાકરે દ્વારા શેર કરવામાં આવેલા ફૂટેજને શેર કર્યો છે.

તો કેટલાકે દાવો કર્યો છે કે, માહિમાની રહસ્યમય દરગાહ ગૂગલ મેપ્સ પર પણ ઉપલબ્ધ છે. સાથે જ પોતાના સંબોધનમાં રાજ ઠાકરેએ આગળ કહ્યું કે, જાવેદ અખ્તર જેવા મુસ્લિમ પસંદ છે, જે પાકિસ્તાન વિરુદ્ધ બોલે છે. હું જાવેદ અખ્તર જેવા લોકો અને ઘણા લોકોને પ્રેમ કરું છું. મને ભારતીય મુસ્લિમ જોઈએ છે જે પાકિસ્તાન વિરુદ્ધ બોલે અને તેમને આપણી તાકત બતાવે. જાવેદ અખ્તર એમ કરે છે અને મને તેમના જેવા મુસ્લિમ જોઈએ છે.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.