જાણો કર્ણાટકમાં જ્યાંથી રાહુલની ભારત જોડો યાત્રા થઈ ત્યાં કોંગ્રેસની શું હાલત છે

કર્ણાટકમાં વર્ષ 1985થી જે થતું આવી રહ્યું છે તે જ થયું, એટલે કે સત્તા બદલાઈ જ ગઈ. ભાજપ સત્તાથી બહાર થઈ ગઈ તો કોંગ્રેસની વાપસી થઈ ગઈ છે. ચૂંટણી પંચ મુજબ, કર્ણાટકની 224 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસે 136 સીટો જીતી લીધી છે. ભાજપને 64 સીટ મળી છે, જ્યારે જનતા દળ (S)ના ખાતામાં 19 સીટો આવી છે. 34 વર્ષમાં આ પહેલી વખત છે જ્યારે કોઈ પાર્ટીને આટલી બધી સીટો મળી છે. આ અગાઉ વર્ષ 1978માં કોંગ્રેસે જ 178 સીટ જીતી હતી. કોંગ્રેસની આટલી મોટી જીત હાંસલ કરવા પર પાર્ટી નેતા ‘ભારત જોડો યાત્રા’ને શ્રેય આપી રહ્યા છે.

ભારત જોડો યાત્રા દ્વારા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં 22 દિવસોમાં લગભગ 500 કિલોમીટરની સફર નક્કી કરી હતી. આ યાત્રા દરમિયાન રાહુલે કર્ણાટકની 20 વિધાનસભા સીટો કવર કરી હતી. તેમાં બેલ્લારી (ST), બેલ્લારી સિટી, ગુંડલુપેટ, ચાલ્લાકેરે (ST), હીરિયુર, મોલાકામુરુ (ST), નાગામંગલા, શ્રીરંગાપટના, નંજનગુડ (SC), નરસિમ્હારાજા, વરુણા, રાયપુર ગ્રામીણ, ગુબી અને સિરામાં કોંગ્રેસની જીત થઈ છે. JD(S)ને ચામુંડેશ્વરી, ચિક્કાનયાક્કાનાહલ્લી અને તૂરુવેકોર તો ભાજપને કૃષ્ણારાજા અને રાયચૂરમાં જીત મળી છે.

જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, 20માંથી 15 સીટ કોંગ્રેસે જીતી, જ્યારે 2 ભાજપ અને 3 JDS પાસે ગઈ, જ્યારે વર્ષ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે આ 20માંથી 5 સીટ જીતી હતી. સાથે જ ભાજપે 9 અને JD(S)એ 6 સીટ પર જીત હાંસલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની એન્ટ્રી 30 સપ્ટેમ્બરે થઈ હતી. કર્ણાટકમાં તેમની યાત્રા 22 દિવસ ચાલી હતી અને તેમણે 500 કિલોમીટર કરતા વધુની સફર નક્કી કરી હતી. રાહુલ ગાંધીની આ યાત્રા 7 જિલ્લા, ચામરાજનગર, મૈસૂરું, મંડ્યા, તુમકુર, ચિત્રદુર્ગા, બેલ્લોરી અને રાયચુરથી થઈને પસાર થઈ હતી.

કર્ણાટકમાં ભારત જોડો યાત્રાના પ્રદર્શનની ભૂમિકા બાબતે ન્યૂઝ જન્સી સાથે વાત કરતા જયરામ રમેશે કહ્યું કે, આ યાત્રા સંજીવનીની જેમ હતી, તેણે સંગઠનને ઉર્જા આપી અને નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે એકતા અને એકજૂથતાની ભાવના ઉત્પન્ન કરી. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, ભારત જોડો યાત્રાએ ભારતીય રાજનીતિમાં એક નવા નેરેટિવની શરૂઆત કરી છે, જેની લોકો રાહ જોઈ રહ્યા હતા. રાહુલ ગાંધીએ ગયા વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ તામિલનાડુના કન્યાકુમારીથી ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી હતી.

ત્યારબાદ યાત્રા તિરુવનંતપુરમ (કેરળ), કોચ્ચી (કેરળ), નીલંબુર (કેરળ), મૈસૂર (કર્ણાટક), બેલ્લારી (કર્ણાટક), રાયચુર (કર્ણાટક), વિકરાબાદ (તેલંગાણા), નાંદેડ (મહારાષ્ટ્ર), જલગાંવ જામોદ (મહારાષ્ટ્ર), ઈન્દોર (મધ્ય પ્રદેશ), કોટા (રાજસ્થાન), દૌસા (રાજસ્થાન), અલવર (રાજસ્થાન), બુલંદ શહર (ઉત્તર પ્રદેશ), દિલ્હી, અંબાલા (હરિયાણા), પાઠણકોટ (પંજાબ), જમ્મુ અને શ્રીનગર (જમ્મુ-કાશ્મીર) સુધી પહોંચી. 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોથી થતા આ યાત્રા પસાર થઈ. આ દરમિયાન રાહુલ ગાંધીએ 3,570 કિલોમીટર લાંબી પદયાત્રા કરી હતી. 136 દિવસની આ યાત્રામાં રાહુલ ગાંધીએ 12 સભાઓને સંબોધિત કરી. તો 100 કરતા વધુ કોર્નર મીટિંગ્સ અને 13 પ્રેસ કોન્ફરન્સ કરી. એ સિવાય 275 કરતા વધુ વોકિંગ ઇન્ટરેક્શન અને 100 કરતા વધુ સીટિંગ ઇન્ટરેક્શન કર્યા.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.