જેલમાં બંધ મનીષ સિસોદીયાની EDએ 8 કલાક પૂછપરછ કરીને ધરપકડ કરી લીધી, કેજરીવાલે....

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાની મુશ્કેલીનો અંત આવતો નથી, બલ્કે મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. પહેલા CBIએ સિસોદીયાની શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ કરેલી જ છે, હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ની પણ  એન્ટ્રી થઇ હતી અને ગુરુવારે EDએ મનીલોન્ડરીંગના કેસમાં મનીષ સિસોદીયાની તિહાર જેલમાં 8 કલાક સુધી પુછપરછ કરીને મોડી સાંજે ધરપકડ કરી લીધી હતી CBIના કેસમાં સિસોદીયા પહેલીથી જેલમાં જ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપ સામે નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જનતા બધું જોઇ રહી છે.

મની લોન્ડરીંગના કેસમાં મનીષ સિસોદીયાની 8 કલાકની પુછપરછ પછી EDએ ધરપકડ કરી લીધી છે. EDએ સિસોદીયાની ધરપકડ કરી છે એવા અહેવાલ મળતાની સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ હતું કે, મનીષ સિસોદીયાની પહેલા CBIએ ધરપકડ કરી, CBIને કોઇ પુરાવા ન મળ્યા, દરોડામાં કોઇ રૂપિયા મળ્યા નહોતા. આવતીકાલે જામીન અરજી પર સુનાવણી છે અને આવતી કાલે મનીષ સિસોદીયા જામીન પર છુટી જતે. તો EDએ એ પહેલાં જ સિસોદીયાની ધરપકડ કરી લીધી. કેજરીવાલે કહ્યું કે, તેમનો એક જ આશય છે કે મનીષને કોઇ પણ સંજોગોમાં અંદર જ રાખવામાં આવે. રોજ ખોટા ખોટા કેસો  કરવામાં આવે છે. જનતા બધું જોઇ રહી છે અને જનતા જ જવાબ આપશે.

CBIએ મનીષ સિસોદીયાની શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ કરેલી છે અને ED શરાબ કૌભાંડમાં મની લોન્ડરીંગના કેસમા જોડાઇ ગઇ છે અને બે દિવસથી સિસોદીયાની પુછપરછ કર રહી છે.મની લોન્ડરીંગ વિશે ગુરુવારે મનીષ સિસોદીયાની 8 કલાક સુધી પુછપરછ કરવામાં આવી અને પછી સિસોદીયાની ધરપકડ કરી લેવામાં આવી.

જાણવા મળેલી માહિતી મુજબ 7 માર્ચે EDએ મનીષ સિસોદીયાની 6 કલાક સુધી મેરેથોન પુછપરછ કરી હતી. એ પછી 9 માર્ચે 2 કલાક સુધી સવાલ-જવાબ કરવામાં આવ્યા, પરંતુ સિસોદીયાએ સંતોષકારક જવાબ નહીં આપતા તેમની EDએ ધરપકડ કરી હતી.

CBIએ  પહેલા શરાબ કૌભાંડના કેસમાં મનીષ સિસોદીયાની 26 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. એ પછી સિસોદીયા 7 દિવસ સુધી  CBIની કસ્ટડીમાં રહ્યા હતા. એ પછી 6 માર્ચે રાઉઝ એવેન્યુ કોર્ટે મનીષ સિસોદીયાને 20 માર્ચ સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. એ પછી મનીષ સિસોદીયાને તિહાર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

તેલંગાણાના મુખ્યમંત્રી  KCR ની પુત્રી કવિતા પણ દિલ્હી શરાબ પોલિસીમાં કથિત કૌભાંડમાં સામેલ છે. ED આ મામલે 11 માર્ચે તેલંગાણાના CM KCR ની પુત્રી કવિતાની પૂછપરછ કરશે. અગાઉ આ તપાસ 9 માર્ચે થવાની હતી, પરંતુ કવિતાએ ED પાસે સમય માંગ્યો હતો, જે આપવામાં આવ્યો હતો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.