PM મોદીએ ક્યારેય બદલાની ભાવનાથી નથી કર્યું કામ, રાજનેતા જેવુ વર્તનઃ ગુલામ નબી

પૂર્વ કોંગ્રેસી નેતા અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે PM મોદીને ઉદાર ગણાવતા કહ્યું કે, વિપક્ષના નેતા તરીકે મેં તેમનો ઘણીવાર વિરોધ કર્યો પરંતુ, તેમણે ક્યારેય પણ બદલાની ભાવના નથી રાખી. તેમણે હંમેશાં જ એક રાજનેતા જેવો વ્યવહાર રાખ્યો. ગુલામ નબી આઝાદે કહ્યું, મેં તેમની સાથે જે કર્યું, તેના માટે મારે મોદીને શ્રેય આપવો જોઈએ. તેઓ ખૂબ જ ઉદાર છે. વિપક્ષના નેતાના રૂપમાં મેં ક્યારેય પણ તેમને નથી છોડ્યા, ભલે તે ધારા 370 હોય કે પછી CAA અથવા હિજાબ હોય. તેમણે કહ્યું કે, મેં તેમની ઘણી બિલ યોજનાઓને સંપૂર્ણરીતે ફેલ કરી દીધી પરંતુ, તેમણે ક્યારેય પણ બદલાની ભાવનાથી નહીં પરંતુ, એક રાજનેતા તરીકે જ વ્યવહાર કર્યો. તેમણે તેનો બદલો નથી લીધો અને તેના માટે મારે તેમના વખાણ કરવા જોઈએ.

આ સાથે જ ગુલામ નબી આઝાદે કહ્યું કે, કોંગ્રેસમાં રહેવા દરમિયાન તેમના પર અને G-23 ગ્રુપના નેતાઓ પર BJPના નજીકના હોવાનો આરોપ લાગ્યો હતો. તેમણે કહ્યું કે, આવા આરોપો લગાવનારા લોકો મૂરખ છે. જો G-23 ગ્રુપ BJPના પ્રવક્તા તરીકે કામ કરતું હોત તો શું કોંગ્રેસ પાર્ટી એ નેતાઓને સાંસદ બનાવતે? આખરે તેમને મહાસચિવ, પ્રવક્તા અને પાર્ટીમાં અન્ય પદાધિકારી શા માટે બનાવવામાં આવ્યા? તેમણે કહ્યું કે, ગ્રુપમાં સામેલ નેતાઓમાંથી માત્ર હું જ એકલો છું, જેણે પોતાની પાર્ટી બનાવી અને બાકીના નેતા ત્યાં જ છે. આથી, આ પ્રકારના આરોપ ખૂબ જ દુર્ભાવનાપૂર્ણ, અપરિપક્વ અને બાલિશ છે.

ગુલામ નબી આઝાદે ગત વર્ષે જ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો અને જમ્મૂ-કાશ્મીરમાં પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીનું ગઠન કરી લીધુ હતું. તેમણે પાર્ટી છોડવા દરમિયાન કોંગ્રેસની દુર્ગતિ માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા. આઝાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ 2013માં જે અધ્યાદેશ ફાડ્યો હતો, તેના કારણે તેમની છબિ ખરાબ થઈ હતી. કોંગ્રેસમાં ચાપલૂસોને મહત્ત્વ મળવા અને જૂના લોકોને સાઇડમાં કરવાનો આરોપ પણ ગુલામ નબી આઝાદે લગાવ્યો હતો. તેમણે સોનિયા ગાંધીના નામ પર લખેલા પોતાના રાજીનામા પત્રમાં આ તમામ આરોપો લગાવ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.